SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) મારા આત્માએ અજ્ઞાન અવસ્થામાં કારણ વગર અનેક પાપના ભાવો કર્યા છે તે અનર્થાદંડના ભાવોની આલોચના, નિંદા, ગર્હ કરીને તેવા પાપના ભાવોન વોસિરાવું છે. નીચે પ્રમાણે અનર્થદંડનો ત્યાગ કરૂં છું. દ્રવ્યથી : હું આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન, પ્રમાદ ચર્ચા. હિંસાપ્રદાન તથા પાપકર્મોપદેશ આ ચાર પ્રકારના અનર્થ દંડનો ત્યાગ કરૂં છું. ક્ષેત્રથી : મર્યાદિત ક્ષેત્રમાં મર્યાદા મુજબ અને બહારના ક્ષેત્રમાં સંપૂર્ણ ત્યાગ. કાળથી : કાળ મર્યાદા નક્કી કરી છે. તે પ્રમાણે જીવન પર્યંત. ભાવથી : બે કરણ ત્રણ યોગે કરી એટલે કે છ કોટિએ પચ્ચક્ખાણ. (૨) (3) (૪) (૫) (૧) (૨) (3) (૪) (૫) (૬) શ્રી જૈન તત્ત્વસાર અનર્થદંડ વિરમણ આર્તધ્યાન ઃ અનિષ્ટ વસ્તુનો સંયોગ થવાથી તેના વિયોગનું ચિંતન કરવું. ઈસ્ટ વસ્તુનો વિયોગ થતાં તેના સંયોગનું ચિંતન કરવું, રોગ તથા સંકટ આવવાથી રડવું, શોક કરવો, દીનતા કરવી તથા ભવિષ્ય કાલમાં ઉત્તમ ભોગવિલાસ ભોગવવાનો વિચાર કરવો તેનું નામ આર્તધ્યાન છે. રૌદ્રધ્યાન ઃ કોઈને મારવા અથવા દુ:ખ પહોંચાડવાનો વિચાર કરવો, કોઈ પણ પ્રકારે આત્મહત્યા કરવી કે તેવો વિચાર કરવો, જૂઠું બોલવામાં આનંદ માનવો, ખોટી કલ્પના કરવી, ચોરી કરવામાં આનંદ માનવો કે પરિગ્રહ વધારવાનો વિચાર કરવો તે રૌદ્રધ્યાન છે. પ્રમાદ પાંચ પ્રકારનો ઃ (૧) મદ : મિદરા - નાકારી વસ્તુનું સેવન કરવાથી પ્રમાદ ઉત્પન્ન થાય છે, મદ - અભિમાન કરવું તે પણ પ્રમાદ છે. (ર) નિદ્રા : વધારે પડતું સુઈ રહેવું તે પણ પ્રમાદ છે. (૩) વિકથા : સ્ત્રી કથા, ભત્ત કથા, દેશ કથા, રાજ કથા આદિ ચાર પ્રકારની વિકથામાં સમય બગાડવો તે પણ પ્રમાદ છે. (૪) વિષય : પાંચે ઈન્દ્રિયની વિષયોત્તેજક સામગ્રીનું સેવન કરવું તે વિષય, તે પણ પ્રમાદ છે. (પ) કષાય :- ક્રોધ, માન, માચા, લોભનું સેવન કરવું તે પણ પ્રમાદ કહેવાય છે. હિંસા પ્રદાન : તલવાર, બંદુક, સ્ટેનગન, બોમ્બ, મિસાઈલ, કુહાડી, કોશ, પાવડા, છરા, રામપુરી ચપ્પુ, ધારિયા આદિ હિંસાકારી શસ્ત્રો બીજાને આપવા અથવા તેનો બિનજરૂરી સંગ્રહ કરવો તે હિંસાપ્રદાન છે. પાપ કર્મોપદેશ ઃ હિંસાકારી ઉપદેશ આપવો તે પાપ કર્મોપદેશ છે. નિયમ પ્રયોજન વિના જમીન ખોદીશ નહીં, અળગણ પાણી ઢોળીશ નહીં, અગ્નિ જલાવીશ નહીં, પંખા વિગેરે ચાલુ કરીશ નહીં, વનસ્પતિનું છેદન ભેદન કરીશ નહીં, બાગ-બગીચામાં ઝાડપાન, ફળ-ફૂલ તોડીશ નહીં, લોન પર ચાલીશ નહીં, બેસીશ નહીં. રસ્તે ચાલતાં કુતરા, બિલાડી, ગાય, બકરી વિગેરેને વિના કારણે મારીશ નહીં. અપરાધી પશુ-પક્ષી-સાપ વીંછી, જું વિગેરેને મારવાનો ત્યાગ. Jain Education International અનર્થ થાય તેવા મૃત્યુ આદિના સમાચાર મશ્કરીમાં આપીશ નહીં, એપ્રિલ ફૂલ કરીશ નહીં. લગ્ન આદિ પ્રસંગે ફટાકડા ફોડવાનો ત્યાગ, ફૂલ - ગજરાના શ્રૃંગાર કરવાનો ત્યાગ તેલ - ઘી આદિના વાસણ પ્રમાદવશ ઉઘાડાં રાખીશ નહીં. ૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy