SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવના જન્મથી લઈને અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સુધીનું અંતર એક ક્રોડાક્રોડીથી કંઈક વધારેમાં ૪૨૦૦૦ વર્ષ ઓછાનું જાણવું. ઉપરોક્ત વર્તમાન ચોવીસીનું અંતર શાશ્વત છે. ભૂતકાળમાં અનંત ચોવીસી આટલા જ આંતરાથી થઈ છે. અને ભવિષ્યકાળમાં પણ એટલાં જ અંતરથી અનંત ચોવીસી થશે. બધાય તીર્થંકરોનું દેહમાન, આયુષ્ય ઉપર કહેલ વર્તમાન ચોવીસી મુજબ જાણવું. વિશેષતા એટલી જ છે કે અવસર્પિણીકાળમાં પ્રથમથી અંતિમ તીર્થંકર સુધી ઉપરોક્ત પ્રમાણે ક્રમ ચાલે છે. અને ઉત્સર્પિણીમાં અંતિમ તીર્થંક૨થી પ્રથમ તીર્થંકર સુધીનો એવો ઊલટો ક્રમ ચાલે છે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વર્તમાનકાળના બીજા તીર્થંકર શ્રી અજિતનાથજીનાં સમયમાં થયેલા ઉત્કૃષ્ટ પદે ૧૭૦ તીર્થંકરોનાં નામ કહ્યાં તેમાંથી ૧૬ તીર્થંકર તો નીલમ જેવા શ્યામ વર્ણના થયા, ૩૮ પન્ના જેવા લીલા વર્ણના થયા, ૩૦ માણેક જેવા લાલ વર્ણના થયા, ૩૬ સુવર્ણ જેવા પીળા રંગના અને ૫૦ હીરા જેવા સફેદ રંગના થયા. એમ ગ્રંથકારનું કથન છે. ૫ ભરતના, ૫ ઇરવતના, ૧૬૦ મહાવિદેહના કુલ ૧૭૦. જ્યારે ઉત્કૃષ્ટ તીર્થંકરો તીર્થંકર પદે હોય ત્યારે આ પ્રમાણે હોય છેઃ દરેક ભરતમાં એકેક, દરેક ઇરવતમાં એકેક મહાવિદેહના દરેક વિજયમાં એકેક. જ્યારે ભરત, ઇરવતમાં તીર્થંકર ન હોય અને મહાવિદેહમાં ઉત્કૃષ્ટા હોય તો ૧૬૦ હોય. જ્યારે ભરત ઈ૨વતમાં તીર્થંકર ન હોય અને મહાવિદેહમાં જઘન્ય પદે હોય તો ૨૦ તીર્થંકર હોય. જેમ અત્યારે છે. *હું કદી ભૂલી જાઉં તો પ્રભુ તું મને સંભારજે હું કદી ડૂબી જાઉં તો પ્રભુ તું મને ઉગારજે હું વસ્યો છું રાગમાં ને તું વસ્યો વૈરાગ્યમાંરાગમાં રખડી રહ્યો ભવપાર તું ઉતારજે.’ Jain Education International શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only ૨૧ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy