SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. એમ ૩ પ્રકારના શ્રાવક હોય છે. आर्या- कय वय कम्मो तह, सीलवं च गुणवं च उज्जु बवहारी । गुरू सुसुओ पवयणं कुसलो, खलु भवओ सद्धो ॥ સાચા શ્રાવકનાં લક્ષણ અર્થ - (૧) સમકિત, વ્રતાદિ શ્રાવકનાં કર્મનું સમ્યક્ પ્રકારે સમાચરણ કર્યું હોય. (૨) ક્ષમા શીલાદિ ગુણોથી અલંકૃત હોય. (૩) ન્યાયપક્ષી, સત્યવાદી, ગુણગ્રાહી હોય, (૪) નિષ્કપટ સરળતાથી વ્યવહાર ચલાવતો હોય, (૫) ગુરૂ આદિ સાધુની તથા ચતુર્વિધ સંઘની તન, મન, ધનથી સેવાભક્તિ કરતો હોય, અને (૬) પ્રવચન શાસ્ત્રોનાં અભ્યાસથી, કુશળ, બન્યો હોય તે જ સાચો શ્રાવક કહેવાય છે. 1 अगारिसामाइयं गाणि, सढि कारण फासए पोसहं दुहओ पक्खं, एगरायं न हावए ॥ ૨૩ ॥ एवं सिक्खासमावन्ने, गिहवासे वि सुव्वए । મુખ્યરૂં વિપન્નાઓ, શક્કે નવશ્ર્વસનોયં ૨૪ ॥ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૫) અર્થ - દીક્ષા ગ્રહણ કરવામાં અશક્ત હોય તો તે ગૃહવાસમાં રહીને પણ સમકિત પૂર્વક સામાયિક આદિ વ્રતોનું શ્રદ્ધાન અને સ્પર્શન કરે છે; બન્ને પાખીના પૌષધ કરે છે અને રૂક્ષવૃત્તિથી સંસાર પક્ષનું અને પ્રેમાનુરાગ રક્ત થઇ ધર્મપક્ષનું પાલન કરે છે. ધર્મની કરણી કરવાનું એક રાત્રિની પણ હાનિ કરતો નથી અર્થાત્ નિત્ય નિયમ પ્રમાણે ધર્મકરણી સમાચરણ કરે છે. આ પ્રમાણેની શિક્ષાએ સંપન્ન જે ગૃહસ્થ છે તેને વિશુધ્ધવ્રતી કહેવો. તે હાડ, ચર્મ, માંસાદિ અશુદ્ધિથી ભરેલું આ ઔદારિક શરીર છોડી અત્યુત્તમ વૈક્રિય શરીરનો ધારક, ઇચ્છા પ્રમાણે રૂપ બનાવનાર મહારિદ્ધિવંત દેવતા થશે અને ભવિષ્યમાં થોડા જ ભવમાં જન્મ, જરા, મરણ અને આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સર્વ દુઃખોનો અંત કરી મોક્ષનાં અનંત સુખોનો ભોક્તા થશે. 筑 卐卐 શ્રાવક ધર્મ અધિકાર |૩૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy