SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ આ જ પ્રમાણે કોઈ પ્રાણી કે પદાર્થને જોવાથી કે સાંભળવાથી જાતિસ્મરણ આદિ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેના પરિણામે પૂર્વભવમાં જે જીવાદિ નવ પદાર્થોનું દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી યર્થાથ જાણપણું કર્યું હોય તેનું સ્મરણ થઈ આવે અને જિનપ્રણિત ધર્મ પર રુચિ થાય, ધર્મનો સ્વીકાર કરે તેમજ કોઈ અન્ય મતાવલંબીને અજ્ઞાન તપના પ્રભાવથી કર્મનો ક્ષયોપશમ થતાં તેને વિર્ભાગજ્ઞાનની પ્રાપ્તિ થાય, તેને લીધે જૈનધર્મની વિરુદ્ધ પ્રવૃત્તિ જોઈ તે જૈન ધર્મનો અનુરાગી બને અને સમ્યકત્વની પ્રાપ્તિ થતાં અજ્ઞાનનો નાશ થઈ અવધિજ્ઞાનનો પ્રકાશ થાય. તેથી નિરારંભી નિષ્પરિગ્રહી જૈનધર્મની આરાધના કરવાની રુચિવાળો બને તેને નિસર્ગરુચિ કહેવાય. (૨) ઉપદેશ રુચિ : જે કોઈ તીર્થંકરો કેવળજ્ઞાનીઓ સામાન્ય સાધુઓ તથા શ્રાવકો વગેરેના ઉપદેશથી જીવાદિ નવ પદાર્થોનું યથાતથ્ય સ્વરૂપ સમજીને તત્ત્વજ્ઞ બને અને તેને ધર્મ કરવાની રુચિ જાગૃત થાય તેને ઉપદેશ રુચિ કહીએ. (૩) આજ્ઞા રુચિ: તે રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન ઇત્યાદિ દુર્ગુણોને નાશ કરી આત્માને જ્ઞાનાદિ અનેક સગુણોમાં સ્થાપન કરવાવાળી અનંત ભવભ્રમણનાં દુઃખોનો નાશ કરી મુક્તિપંથમાં પ્રવર્તાવવાવાળી એવી અનેકાનેક ગુણોની ખાણ તે શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા છે. તેને આરાધવાની અર્થાત્ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થવી તેનું નામ આજ્ઞારુચિ. (૪) સૂત્રરુચિ : શ્રી જિનેશ્વરપ્રણિત અને ગણધરાદિ ૧૦ પૂર્વ સુધીનું જ્ઞાન ધરાવનારાઓએ રચેલાં દ્વાદશાંગી આદિ જે સૂત્રો છે તેનું પઠન કરી કરાવી તેમાં રહેલા અદ્ભૂત જ્ઞાનને અનુભવમાં પરિણમાવે અપૂર્વજ્ઞાનના રસમાં આત્માને તલ્લીન બનાવે અને ઉત્સાહપૂર્વક તેનું જ વારંવાર શ્રવણ, પઠન, મનન કરવાની ઉત્કંઠા જાગૃત થાય તેને સૂત્રરુચિ કહે છે. (૫) બીજ રુચિ ? જેવી રીતે હળ વડે ખેડેલી, ખાતર પૂરેલી અને વૃષ્ટિથી તૃપ્ત થયેલી કરાળ ધરતીમાં વાવેલું બીજ અનેક બીજનું ઉત્પાદન કરનાર નીવડે છે, તેવી જ રીતે વિષય કષાય અલ્પ કરવાથી શુદ્ધ બનેલા, ગુરુ ઉપદેશથી પોષણ પામેલા અને સંતોષાદિ ગુણોથી તૃપ્ત થયેલા ભવ્ય જીવના હૃદયરૂપી ખેતરમાં વાવેલું જ્ઞાનરૂપ બીજ વૃદ્ધિ પામે છે. તથા જેવી રીતે પાણીમાં નાખેલું તેલનું બિંદુ પ્રસરે છે તેવી જ રીતે એક પદનું જ્ઞાન પ્રાપ્ત થતાં અનેક પદરૂપે પરિણમે ૩૧૬ સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy