SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) બેઇન્દ્રિયની બે ઇન્દ્રિયોમાંથી પહેલી સ્પર્શેન્દ્રિયનો વિષય ૮૦૦ ધનુષ્યનો છે. અને બીજી રસનેન્દ્રિયનો વિષય ૬૪ ધનુષ્યનો છે. (૩) તેઇન્દ્રિયની સ્પર્શેન્દ્રિયનો વિષય ૧૬૦૦ ધનુષ્યનો, રસનેન્દ્રિયનો ૧૨૮ ધનુષ્યનો અને ઘ્રાણેન્દ્રિયનો ૧૦૦ ધનુષ્યનો છે. (૪) ચૌરેન્દ્રિયના સ્પર્શેન્દ્રિયનો વિષય ૩૨૦૦ ધનુષ્યનો, રસનેન્દ્રિયનો ૨૫૬ ધનુષ્યનો, ઘ્રાણેન્દ્રિયનો, ૨૦૦ ધનુષ્યનો, ચક્ષુરિન્દ્રિયનો ૨૯૫૪ ધનુષ્ય અને (૫) અસંશી પંચેન્દ્રિયના સ્પર્શેન્દ્રિયનો વિષય ૬૪૦૦ ધનુષ્યનો, રસનેન્દ્રિયનો ૫૧૨ ધનુષ્યનો, ઘ્રાણેન્દ્રિયનો ૪૦૦ ધનુષ્યનો, ચક્ષુરિન્દ્રિયનો ૫૯૦૮ ધનુષ્યનો અને શ્રોતેન્દ્રિયનો વિષય ૮૦૦ ધનુષ્યનો છે અને સંશી પંચેન્દ્રિયના સ્પર્શ, રસ અને ઘ્રાણેન્દ્રિય એ ત્રણ ઇન્દ્રિયોનો વિષય ૯-૯ યોજનનો, શ્રોતેન્દ્રિયનો વિષય ૧૨ યોજનનો અને ચક્ષુઇન્દ્રિયનો ૧ લાખ યોજન ઝાઝેરો વિષય ગણાય છે. તે વૈયિરૂપ કરે ત્યારે ઉત્કૃષ્ટ અવગાહના તેટલી જાણવી. ચક્ષુરિન્દ્રિયનો વિષય ૪૭૨૬૩ યોજનનો હોય છે, કેમકે આટલે દૂરથી ઊગતો સૂર્ય દૃષ્ટિગોચર થાય છે. આ બધા ઉત્કૃષ્ટ વિષય જાણવા. આ ઇન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણની વાત થઈ. (૨) હવે નોઈન્દ્રિય પ્રત્યક્ષ ૨ પ્રકારના (૧) દેશથી (૨) સર્વથી તેમાં દેશથી ૪ પ્રકાર : (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન અને (૪) મનઃ પર્યવજ્ઞાન (૨) સર્વથી નોઈન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણનો એક જ ભેદ તે વળજ્ઞાન. હવે પાંચે જ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. અહીં પાંચ ઇન્દ્રિયો અને મન પ્રત્યક્ષ જે કહ્યું તે વ્યાવહારિક પ્રત્યક્ષ છે. તેથી પરોક્ષ છે. આત્મા પ્રત્યક્ષ નથી તેથી તેની સહાયતાથી થતાં મતિ અને શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે, આત્મ પ્રત્યક્ષ નથી. (૧) મતિજ્ઞાન - ૫ ઇંદ્રિય અને છઠ્ઠું મન એ છ વડે જે જાણવું થાય તે મતિજ્ઞાન તેના ૨૮ ભેદ (૧) અવગ્રહ (અવ્યક્ત જ્ઞાન અર્થાત્ નામ, જાતિ આદિ વિશેષ કલ્પનાથી રહિત જે સામાન્ય જ્ઞાન હોય તે અવગ્રહ), (૨) ઇહા (અવગ્રહથી ગ્રહણ કરેલાં સામાન્ય વિષયનો વિશેષરૂપે નિશ્ચય કરવા માટે જે વિચારણા થાય છે તે ઈહા), (૩) અવાય (ઇહા દ્વારા ગ્રહણ કરેલા વિશેષનો કંઈક અધિક એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે તે અવાય અથવા અપાય), (૪) ધારણા (અવાયરૂપ નિશ્ચય અમુક સમય ટકે વળી લુપ્ત થાય છતાં આગળ ઉપર યોગ્ય નિમિત્ત મળતાં એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે તે ધારણા) Jain Education International શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only ૨૨૯ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy