SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવે છે. ૧૫ કર્મભૂમિનાં, ૩૦ અકર્મભૂમિના અને પ૬ અંતરદ્વીપના મળી ૧૦૧ ભેદ ગર્ભજ મનુષ્યના થયા, તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બબ્બે ભેદ ગણતાં ૨૦૨ ભેદ ગર્ભજ મનુષ્યના થયા. સંમૂર્છાિમ મનુષ્ય : એ ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના શરીરમાંથી નીકળતી ચૌદ વસ્તુઓમાં જે જીવ પેદા થાય છે. તેને સંમૂર્છાિમ મનુષ્ય કહે છે. તે અપર્યાપ્તા જ મરે છે. માટે તેના ૧૦૧ ભેદ ગણતાં કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થયા. મનુષ્યની ૧૪ લાખ જાતિ છે. ૧૨ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ ૩ પલ્યનું આયુષ્ય છે. યુગલીયાનો એક જ ભવ કરે, કર્મભુમિ મનુષ્યમાં ભદ્રિક પરિણામી તરીકે ઉપજે તો લગાતાર સાતભવ કર્મભૂમિ મનુષ્યના થઈ શકે છે. દેવતાના ૧૯૮ ભેદ ૧૦ ભવનપતિ દેવતા, ૧૫ પરમાધામી દેવતા, ૧૬ વાણવ્યંતર દેવતા ૧૦ જૂભકા દેવતા, ૧૦ જ્યોતિષી દેવતા, ૩ કિલ્વેિષીક દેવતા ૧૨ દેવલોકના દેવતા, ૯ લોકાંતિક દેવતા, ૯ રૈવેયકના દેવતા, ૫ અનુત્તર વિમાનના દેવતા, એ સર્વ મળી ૯૯ જાતના દેવતા છે. તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એવાં બે ભેદ છે. તેથી ૯૯ X ૨ = ૧૯૮ ભેદ દેવતાના થયા. સર્વ દેવતાઓનું વિશેષ વર્ણન પ્રથમખંડના બીજા પ્રકરણમાંથી જાણી લેવું. સંમૂર્છાિમ મનુષ્યો ઊપજે તે ચૌદ સ્થાનકના નામ (૧) ઉચ્ચારેલુ વા - ઝાડા (વિષ્ટા)માં ઊપજે તે (૨) પાસવર્ણસુવા - પેશાબમાં ઊપજે છે તે, (૩) ખેલેસું વાબળખામાં ઊપજે તે (૪) સંઘાણે સુવા - નાકની લીંટ (શેડા)માં ઊપજે તે (પ) વંસુ વા - વમન (ઊલટી)માં ઊપજે તે ૬) પિત્તેસુ વા - પિત્તમાં ઊપજે તે, (૭) યુએસ વી - પર, રસીમાં ઊપજે તે (૮) સોણિએસુ વા - લોહીમાં ઊપજે તે (૯) સુક્કસુવા-શુક્ર - વીર્યમાં ઊપજે તે, (૧૦) સુક્ક પોગલ પરિસાડિયેસુવા - સુકાણા વીર્યાદિકનાં પુદ્ગલ, ભીનાં થાય ત્યારે ઊપજે તે (૧૧) વિગયજીવ કલેવરેસુવા - મરેલા મનુષ્યના કલેવર (શરીર)માં ઊપજે તે (૧૨) ઇત્થીપુરિસ સંજોગેસુવા - સ્ત્રી પુરુષના સંજોગમાં ઊપજે તે (૧૩) નગર નિધમણે સુ વા - નગરની ખાળ વગેરેમાં ઊપજે તે (૧૪) સવ્વસુ ચેવ અસુઈઠાણેસુવામનુષ્ય સંબંધી સર્વે અશુચિનાં સ્થાનક માં ઊપજે તે. એ ચૌદ વસ્તુ મનુષ્યના શરીરમાંથી દૂર થયા પછી અંતર્મુહૂર્ત જેટલા વખતમાં તેમાં અસંખ્યાતા સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. અને મરે છે. એનો સ્પર્શ કરવાથી પણ સંમૂર્છાિમ મનુષ્યની ઘાત થાય છે. માટે અશુચિનાં સ્થાનકની જતના કરો તો દ્રવ્ય (બાહ્ય) અને ભાવે (આત્યંતર) ઘણો લાભ થશે. શ્રી જૈન તત્ત્વ સાર ૧૯૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy