SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા શ્રુતસ્કંધમાં ૮ વર્ગ અને ર૬૬ અધ્યયનો છે. તેમાંથી પહેલા વર્ગના ૬ અધ્યયનમાં ચમરેન્દ્રની ૬ અગ્રમહિષીઓનું કથન છે. બીજા વર્ગના ૬ અધ્યયનમાં બલેન્દ્રની ૬ અગ્રમહિષીઓનું વર્ણન છે. ત્રીજા વર્ગના પપ અધ્યયનમાં દક્ષિણ દિશાના નવનિકાય દેવોના ૯ ઇંદ્રોની પાંચ પાંચ અગ્રમહિષીઓનું કથન છે ચોથા વર્ગનાં પપ અધ્યયનમાં ઉત્તર દિશાના નવનિકાય દેવોના ૯ ઇંદ્રોની પાંચ પાંચ અગ્રમહિષીઓનું કથન છે. પાંચમા વર્ગના ૬૪ અધ્યયનમાં દક્ષિણના વાણવ્યંતર દેવોના ૧૬ ઇંદ્રોની ચાર ચાર અગ્રમહિષીઓનું કથન છે. છઠ્ઠા વર્ગના ૬૪ અધ્યયનમાં ઉત્તર દિશાના વાણવ્યંતર દેવોના ૧૬ ઇંદ્રોની ચાર ચાર અગ્રમહિષીઓનું કથન છે. સાતમા વર્ગનાં આઠ અધ્યયનમાં સૌધર્મેન્દ્રની આઠ અગ્રમહિષીઓનું કથન છે. અને આઠમા વર્ગનાં આઠ અધ્યયનમાં ઇશાનેન્દ્રની આઠ અગ્રમહિષીઓનું કથન છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૬૬ આર્યાજીઓ સંયમથી શિથિલ બની દેવીઓ થઈ તેનું સંક્ષેપમાં વર્ણન છે. પહેલાં આ સૂત્રનાં ૫૫,૫૬,000 પદોમાં ૩૫,૦૦,૦૦,૦૦ ધર્મકથાઓ હતી. હવે તો ફકત ૫૫OO શ્લોક વિદ્યમાન છે. (૭) “ઉપાસક દશાંગ” - આ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે અને તેનાં ૧૦ અધ્યયનો છે. તેમાં ભગવાન મહાવીરના ૧૦ ઉત્તમ શ્રાવકોનો અધિકાર છે. તેઓએ ૨૦ વર્ષ શ્રાવકના વ્રત પાળ્યાં તેમાં ૧૪ વર્ષ ઘરમાં રહ્યાં અને પા વર્ષ ગૃહકાર્ય છોડી પૌષધશાળામાં રહી શ્રાવકની ૧૧ પડિમાનું આરાધન કર્યું. ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં ચલાયમાન ન થયા. બધા એક મહિનાનો સંથારો કરી પહેલા દેવલોકમાં દેવપણે ઉપજ્યા. બધા ૪ પલ્યોપમનું આયુષ્ય પામ્યાં. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષે જશે. 'આ સૂત્રમાં શ્રાવકોની દિનચર્યાનું પણ રૂડી રીતે દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. આદર્શ ગૃહસ્થ અને ઉત્તમ શ્રાવક થવા ઇચ્છનાર દરેક વ્યક્તિએ આ સૂત્રનો અભ્યાસ અવશ્યમેવ કરવો જોઈએ. જેથી તેમના ધાર્મિક જીવનમાં પરમ સહાયતા ઉત્સાહ અને દઢતાની પ્રાપ્તિ થવા પામે. કારણકે ગૃહસ્થધર્મના ૧૨ વ્રત અને ૧૧ પડિમાનું આમાં સવિસ્તૃત વર્ણન છે. શ્રાવક શબ્દ તો અવિરતિ સમ્યક્ દષ્ટિ અને દેશવિરતિ એમ બન્ને ગુણસ્થાનકોને માટે રૂઢિથી પ્રચલિત છે, પરંતુ “શ્રમણોપાસક” શબ્દ તો કેવળ દેશ વિરતિ ગૃહસ્થને માટે જ વપરાયેલો છે. આ સૂત્રના પ્રથમતો ૧૧,૭૦,૦૦૦ પદ હતાં, જેમાંથી અત્યારે માત્ર ૮૧૨ શ્લોક પ્રમાણ સૂત્ર રહેલ છે. ઉપાધ્યાય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy