SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અને મોક્ષની, સંતો સામે બીરાજીત છે છતા આ જીવ ભાવથી સંસારની અવસ્થામાં જોડાયેલો હોય તો બોલાં કર્મનિર્જરાના સ્થાને કર્મ બંધ થાય કે નહિ ? અરે સમોસરણનું ક્ષેત્ર હોય, મહાવીર પ્રભુ પરમ સાનિધ્ય હોય, કાળમાં ચોથો આરો હોય, દેશનાની અવિરત ગંગા વહેતી હોય, તેવા સ્થળે ભાવ બગડે ખરા ? ના, હરગીજ નહી. છતા રૂપવંતી નરનારીને જોઈ આર્યાજીઓ એ નિયાણાંકરી લીધા કે અમારા ચારીત્રનું ફળ હોય તો અમને પણ આગળના ભવમાં આવા પુરૂષની પ્રાપ્તી હોજો. હાય ! મોહ સમોસરણમા પણ જીવન ધર્મીષ્ટ બનવા દેતો નથી. પરમાર્થ દ્રષ્ટાની સાધનાને ખંડીત કરી નાખે છે. તો આપણી હાલત શું ? મને જાણવાનો અને જીતવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે, પરમાર્થ દ્રષ્ટા બનવું. પરમાર્થને જાણ્યાવિના પરમના સ્થાને પહોંચવું અશક્ય છે. પરમાર્થ દ્રષ્ટા બનેલો આત્મા, સંસાર ક્ષેત્રે પણ સમભાવ રાખી, સાચો શ્રાવક બની, કમની નિર્જરા કરી શકે છે. તો સંયમના સ્થાને, સંયમના વિષમાં, જે જાગત ન રહેતો પરમાર્થ દ્રષ્ટાના અભાવે અનંત કમ બાંધી પણ શકે છે. તમે ક્યાં રહો છો તેના કરતા, તમારા ભાવ ક્યાં રમે છે ? તે વધુ મહત્વનું છે. સંસારમાં હોવા છતા જીવના ધર્મના પરીણામ રહેતા હોય તો તે પરમાર્થ દ્રષ્ટાનો માલીક છે. અને ધર્મના ક્ષેત્રે રહેવા છતા સંસારના કાવાદાવાના ભાવમાં રમતાં હોય તો તે પરમાર્થ દ્રષ્ટાનો સ્વામી નથી. ભગવાન મહાવીર પોતાના જ્ઞાનમાં નિયાણા કરનારને જાણી ઉપદેશ આપી નિયાણામાંથી છોડાવે છે. જુઓ, તમને પરમાર્થ દ્રષ્ટાનો સરળ અર્થ સમજાવું. તમે જમવા બેઠા છો. બહુજ ગરમાગરમ થાળીમાં આવી ગયું છે. ભુખ પણ છે, અને ભાવતું ભોજન પણ છે. આ સમયે તમારો ખાવાના ઉત્સાહ આનંદ ચહેરો કેવો ? ઉદાસીનતાએ પેટને ભાડુ આપશો કે ઉલ્લાસપૂર્વક ભાવથી સ્વાદ માણશો ? હવે બીજુ દ્રશ્ય સામે લાવી દો. ભૂખ નથી, ભોજન વાસી કે ઠંડુ છે, સ્વાદનું નામ નથી. પીરસનારને મૂડ નથી. જમવા બેઠા ત્યાં સફાઈ નથી. હવે તમારે જમવું પડે તેમજ છે. નહીતર સામેની વ્યકિતનું માન સાચવવું મુશ્કેલ છે. હવે તમે જમો છો, ત્યારે તમારો ચહેરો કેવો રહેશે ? તમારો ઉમંગ, તમારી ખાવાની ઝડપ કેવી ? બસ આ બે ચિત્રોજ તમને તમો પરમાર્થ દ્રષ્ટા છો કે નહી તેનું માપ કાઢી આપે છે. આમ તમામ પરિસ્થિતીની વિચારણા કરી, આપણે ધર્મને પામ્યા છીએ કે નહીં ? પરમાર્થ દ્રષ્ટાના સ્વામી છીએ કે નહી ? તેનો યથાર્થપણે ખ્યાલ આવશે. સાચા અને સરળ બને છે પરમાર્થ દ્રષ્ટાવાળો. સમભાવમાં રમતો હોય, સ્વભાવને જોતો હોય અને મોક્ષ માર્ગમાં વિચરતો હોય તો આપણે પણ આપણા સાધના જીવનમાં પરમાર્થ દ્રષ્ટ્રાનાં સ્વામી બની મોક્ષ માર્ગના માર્ગી બનીએ એજ મંગલ કામના. સવંત. ૨૦૫૫ વાલકેશ્વર ઉપાશ્રયમાં ચાર્તુમાસ પ્રસંગે પૂ. રાજેન્દ્ર મુનિના શીષ્ય પૂ. તેજેન્દ્ર મુનિએ આપેલ પ્રવચન નો સાર ... સાભાર સાથે - તથા પૂ.કમળાબાઈ મહાસતીજી પૂ. શારદાબાઈ મ.સ.ના. શીધ્યાએ ગાથા તેમજ લખાણનું શુદ્ધિકરણ કરી આપ્યું તે માટે હું તેમના ઋણી છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy