SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ હતી? આંખના પલકારામાં અનેક રૂપો સર્જન કરી એક ચપટી વાગે એટલા સમયમાં તા સૃષ્ટિમાં અનેક ચક્કર મારીને પાછા આવી જાય. આવી શક્તિનો માલીક મારો અને તમારો આત્મા બનીને આવ્યો, છતાં ક્યાં કલ્યાણ થયું છે આપણું ? તો સમય પણ અનંતા ભવમાં અનંતી વાર પ્રાપ્ત થયા છે. હજારો વર્ષના આયુષ્યો આ આત્માને મળ્યા હતા. પૂર બહાર સમય પ્રાપ્ત થયો હતો, પરંતુ એ સમયનો સદ્ઉપયોગ કરવાની કળા હાથમાં ન આવતા, સમય હાથમાંથી સરકી ગયો. હવે આ ભવમાં કિંમતી સમય પ્રાપ્ત થયેલ છે. રખે સંસારના કાવાદાવામાં, સંસાર સુખના વમળમાં ફસાતા નહી. આત્માને પામવાનો બહુજ સુંદર યાંગ પ્રાપ્ત થયો છે. પહેલાં યાંગ ભરપૂર શક્તિ અને બીજા યોગ છે. સુંદર સમય, સમય અને શક્તિનો તાલ મળે અને સાધના માર્ગે જોડાય તો સમય સ્વ સમયમાં સ્થિર બનાવે અને શક્તિઓ અક્ષય ના સ્વામી બનાવે. તાવ ધર્મો સમાચરે : આ ત્રીજુ સુત્ર જણાવે છે કે હાથમાં છે ઈન્દ્રીય શક્તિઃ તન-મન-વચનની શક્તિ અને મૂલ્યવંતો સોનેરી સમય મળ્યો છે ત્યાં સુધી જિનેશ્વર ભગવંત પ્રરૂપીત ધર્મથી આરાધના કરી લો. શક્તિ દ્વારા આરાધના અને સમય દ્વારા ગુર્વાદીકની ભાવયુક્ત ઉપાસના બસ, આ બે કામજ આ માનવ જન્મમાં અગત્યના અને મહત્વના છે, અફસોસ ! માનવ જન્મ પામી શક્તિઓને વેડફવામાં, શક્તિઓને વાપરવામાં અને શક્તિઓના પ્રદર્શનમાંજ ખર્ચી રહ્યો છે. ટી.વી, વિડીઓ, કલબો અને ફરવા પાછળ આ સમય ખર્ચી નાખ્યો છે. ધર્મ આરાધવાની ગુરૂદેવ તરફથી પ્રેરણા મળતા ભાઈ સાહેબ કહે છે નો ટાઈમ જ્યારે કર્મ બંધનમાં ઇંદ્રિયોના વિષય પોષણમાં હરવા ફરવામાં બધે ટાઈમજ ટાઈમ છે. પરંતુ મહત્વની બાબત એ છે કે માનવીને જ્યાં રસ છે ત્યાં સમય છે સમય નથી સારો, સમય નથી ખરાબ, સમય તો રંગે મરમર છે. કાંઈક શીલ્પ કુંડા બી છે, બધુજ તારી અંદર છે. ધર્મના માર્ગે જવા, સમય કાઢો, ધર્મના માર્ગે શક્તિને કામે લગાડો. ધર્મ કોને કહેવાય ? ધર્મ કેવો છે ? ધર્મ શા માટે કરવો જોઈએ ? ધર્મનું સ્વરૂપ કેવુ છે ? આ પ્રશ્નો તમારા અંતર આત્મા ને જગાડનાર છે. ધર્મને જાણ્યા વિના, સમજ્યા વિના કરવાથી ધર્મ ક્ષેત્રે, ધર્મના અનુષ્ઠાન માધ્યમથી જે પરિણામ જીવનમાં મળવું જોઈએ તે નહી મળે. ધર્મના હૃદયને અને યર્થાથતાને પ્રાપ્ત કરવી એ સૌ પ્રથમ કર્તવ્ય ધર્મ કરનાર સાધકોનું છે. ધર્મને પામવા માટે ધર્માચરણ કરો તોજ ધર્મનો સાક્ષાત્કાર થશે. ધર્મ એટલે સ્વભાવ, વત્યુ સણવો ધમ્મોઃ વસ્તુના સ્વભાવ એજ ધર્મ. જડ ચેતનના નીજ સ્વભાવ જાણે નહી ત્યાં સુધી વાસ્તવિક્તાને પામી શકાય નહિ. મુખ્ય વાત થઈકે વસ્તુનો સ્વભાવ એ એનો ધર્મ છે. જડનો પણ સ્વભાવ છે. ચેતનનો પણ સ્વભાવ છે. જડના સ્વભાવને જાણવાથી આત્માનો જડ પ્રત્યેનો મોહ ઘટે છે. જ્યારે આત્માનો સ્વભાવ જણાઈ જવાથી સ્વભાવ સહજ બને છે. સ્વભાવને જાણ્યા વિના થતો ધર્મ સમભાવમાં સફળતા અપાવતો નથી. નીજ સ્વભાવને અને જડ સ્વભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy