________________
મન માટે બિલકુલ સમય ફાળવાતા નથી.
શું આ ઉચિત છે?” મેં પૂછ્યું.
આ પ્રશ્નના જવાબમાં યુવાન બોલ્યો, હવે વાત સમજમાં આવી ગઈ, મનને સ્વસ્થ રાખવા પણ હું સમય ફાળવીશ.” તેણે આગળ કહ્યું, “હું બહુ જ વ્યસ્ત છું, મારી પાસે સમય નથી, આ બધાં બહાનાં છે. મૂળ વાત એક જ છે, ધર્મની વાત સમજમાં નથી આવતી, માટે ધર્મને માટે સમયની ફાળવણી થતી નથી.
ઉપયોગિતાનો બોધ
ધર્મનો અર્થ છે, પોતાના કષાયો (દોષો) પર નિયંત્રણ કરવું. ક્રોધ, માન, માયા લોભ, ભય વગેરે પર નિયંત્રણ મેળવવું, નિયંત્રણની શક્તિના વિકાસની સાધના કરવી. અદશ્ય કે અગમ્ય પ્રત્યે અનાસ્થા હોઈ શકે. પોતાની વૃત્તિઓ પર નિયંત્રણ કરવું જિંદગી માટે શ્રેયસ્કર છે. આ દ્રશ્ય વધુ બુદ્ધિગમ્ય છે. માનસિક તનાવમુક્ત અને શાંતિનું જીવન જીવવા માટે આવશ્યક છે. એમાં અનાસ્થાનો પ્રશ્ન જ કયાં છે ? જે લોકો ધર્મ વિષે અનાસ્થાની વાત કરે છે, તેઓ ધર્મના મર્મને સમજ્યા વગર જ કહી દે છે. આત્મા, પરમાત્મા જેવાં બુદ્ધિથી પર તત્ત્વો માટે અનાસ્થા હોઈ શકે, પરંતુ મન અને ભાવનાના સ્તર પર ધર્મની વાતો કરવામાં આવે, તેમાં અનાસ્થાનો પ્રફ. ક્યાંથી આવે ? અસ્ત્રચિને અચિમાં બદલી શકાય. ઉપયોગિતાનું જ્ઞાન અને સમ્યક સંપર્ક –આ બંને અસ્ત્રચિને સૂચિમાં બદલી નાંખે છે. પર્યાવરણમાં પ્રદૂષણ ન ફેલાય, હિંસા વધતી અટકે, શોષણ ન રહે, આંતકવાદી પ્રવૃત્તિઓ ન થાય - સામાજિક ભૂમિકા પરથી આ વાતો કહેવાઈ રહી છે. શું આ બધી વાતો ધર્મની વાતો નથી ? કોઈ પણ વ્યક્તિ અને સમાજ, અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત ધર્મ વિના સ્વસ્થ ન રહી શકે, તેથી ધર્મનું નામ લઈએ કે ના લઈએ, ધર્મની સચ્ચાઈને સ્વીકારવી જ રહી.
ઊર્ધ્વ આરોહણનાબે માર્ગ
જૈન દર્શનનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે : અનેકાન્ત. એને દયંગમ બનાવીને સત્યને ઓળખી શકીએ છીએ, માણી શકીએ છીએ. જીવન એક સચ્ચાઈ છે. બધા જીવી રહ્યા છે. તે સચ્ચાઈને સમજવા માટે અનેકાન્ત દષ્ટિનો પ્રયોગ જરૂરી છે. એક સામાજિક પ્રાણી કામ અને અર્થના મહાસાગરનો એક દ્વીપ છે. જો જીવનની આ સીમા હોય, તો ચારે બાજુ કામનાઓનું જળ છે અને તે દ્વીપ તોફાની તરંગોથી આકાંત થવા માટે વિવશ છે.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org