SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આ ૧-૩૬ માંથી કેટલાંક કાવ્યો પ્રાચીન જાતકકથાઓમાંથી જન્મ પામ્યાં છે અને ઉત્તરાધ્યયનમાં તેને જૈન વિચારોનો સ્વાંગ આપ્યો છે. (જુઓ ૭ ૧.૮). સમય જતાં તેની ઘણી ગાથાઓ ક્ષેપ-પ્રક્ષેપના લીધે વિસ્તાર પામી. ઉત્તરાધ્યયનમાં પ્રાચીન સમયથી ચાલી આવતી જૈન વિચારોની પરંપરાના ઇતિહાસની કાંઈ રૂપરેખા પણ મળે છે. પરંતુ તે વિશેષ સંવાદમય ગ્રંથ હોવાથી તેમાં તત્ત્વવિચારણાની દૃષ્ટિએ આવશ્યક માહિતી ભાગ્યે જ મળી રહે છે. અહીં તેવી બાબતોનો કાંઈ પરિચય આપવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયન જણાવે છે કે જીવનો નાશ હોતો નથી (૨.૨૭ - આ ગાથા શારપેન્ટીયરે પ્રક્ષિપ્ત માની છે), ઉપનિષદો પણ જણાવે છે કે જીવ મરતો નથી ( ગીવો પ્રિયતે છાંદોગ્ય ઉપનિષદ ૬.૧૨.૨) અથવા આત્મા અવિનાશી છે (વિનાશી વારે-સાયમાત્માં બૃહદારણ્યક ઉપનિષદ ૪.૫.૧૪). ઇતર વિચારસરણી (આત્મા શરીરમાં વધે છે, નાશ પામે છે, પણ રહેતો નથી...)દર્શાવતી ઉત્તરાધ્યયની ૧૪.૧૮ ગાથા સ્પષ્ટ કરે છે કે જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી અને તેલમાં તેલ ““અસતુ” (અમૂર્ત ?) છે તેમ જીવાત્મા ‘‘અસતુ” છે, તેના જવાબરૂપે આગળ ૧૪.૧૯ ગાથા સિદ્ધાંત રજૂ કરે છે કે આત્મા ઇંદ્રિયગ્રાહ્ય નથી; અમૂર્તભાવે છે, અને અમૂર્તભાવ હોવા છતાં ય તે નિત્ય છે (નહી મી ગરણી પ્રસન્તો ઊરે થયું તેત્રમાં તિજો...ગાથા ૧૮, નો રેંગ્નિ અમુભવી પુરાવા વિ હોમ્સ ગાથા ૧૯). શ્વેતાશ્વતર ઉપનિષદ (૧.૧૫) પણ કહે છે કે તિન્નેવુ તૈનં ધનીવ સ...ગરીપુ નિ:, gવમાત્માત્મન પૃાતે (તલમાં તેલ, દૂધમાં ઘી. અને અરણિમાં અગ્નિ, એમ આત્મામાં પોતામાં - આત્માને જાણી શકાય - કહી શકાય, સરખાવો સરળ્યો દિતો નાતા ...પત વૈ તત્ કઠ ઉપનિષદ ૨.૪.૮). આત્મા અગૃહ્ય છે (ાત્મા ગૃહ્યો ન ગૃઢતે બૃહદારણ્યક ઉપનિષદ ૪.૨.૪), આત્મા અજ, નિત્ય અને શાશ્વત છે (મનો નિત્ય: શાશ્વતો...કઠ ઉપનિષદ ૧.૨.૧૮). ઉત્તરાધ્યયન જણાવે છે કે જિતેંદ્રિય સર્વતઃ મુક્ત (૧૫.૧૬) અને સર્વ સંગરહિત છે: તે કર્મ-રજ વગરનો અને સિદ્ધ છે (૧૮.૫૪ : શારપેટીયરના મતે પ્રક્ષિપ્ત). તે સર્વ ભૂતોમાં કે શત્રુ-મિત્રોમાં, લાભ-અલાભમાં, સુખદુઃખમાં, નિંદા-પ્રશંસામાં, માન-અપમાનમાં સમતા રાખે છે (સમય સવ્વપૂ. સતુમસુ વા ૧૯. ૨૫, તામાતાએ સુદે તુ...સની નિંદ્રા પસંસાસુ તહાં માનવમળો ૧૯.૯૦, સરખાવો અનુક્રમે ગીતા - સમ: શત્રી ર મિત્રે ૨ ૧૨.૧૮, સુરષદુ: સમે કૃત્વા નામાનામ...૨.૩૮, સમ:...નાનાપમાનજ્યો: ૧૨.૧૮, તુલ્યનાસ્તુતિઃ ૨૧.૧૯, વળી જુઓ ગીતા ૧૪. ૨૪-૨૫). ઉપરાંત તે વિરકતે સર્વ આરંભો ત્યજી દીધા છે (૧૯.૨૯ સબ્બારંપરિવાઝો = સર્વાધિપરિત્યાની ગીતા ૧૨.૧૬) અને તેને માટી, (પત્થર) અને સોનું સરખાં છે (૩૫.૧૩ - સમકુવ = સમતોષ્ટાશ્મiાં વન: ગીતા ૧૪.૨૪; ઉત્તરાધ્યયન ૩૫.૧૩ છંદભંગ થાય છે). ઉત્તરાધ્યયનના એક સંવાદ કાવ્યમાં તપના આચરણને તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર જણાવ્યું છે (સિવાર માં રેવ ર૩ તવો ૧૯, ૩૭) કઠઉપનિષદ પણ જણાવે છે કે સુરસ્ય ધારા નિશિતા ફુરચા તુ પથસ્તત્વ થી વતિ (૧.૩.૧૪ કવિઓ કહે છે કે અસ્ત્રાની તીક્ષ્ણ ધાર પર ચાલવાનું મુશ્કેલ છે, તે રસ્તો ખેડવો કઠણ છે). વળી ઉત્તરાધ્યયન આગળ જણાવે છે કે રાગ અને દ્વેષ કર્મનું બીજ છે, કર્મ મોહથી ઉપજે છે, કર્મ જન્મમરણનું મૂળ છે (૩૨.૭). રાગ દ્વેષના નાશથી મોક્ષનું સુખ મળે છે (૩૨.૨) શારીરિક-માનસિક દુઃખો દૂર કરવા રાગ છોડવો જરૂરી છે ( માર્ચ માસય ૨ -િવિ તન્ત છઠ્ઠ વીયરો ૩૨.૨૨). ઇંદ્રિયોના અર્થમાંથી મને દૂર કરી લેવું (૩૨.૨૦, ૩૯, પર, ૬૫, ૭૮, ૯૧). વિરાગીને કોઈ કર્મ લેપાયમાન નથી (૩૨.૩૬ સરખાવો ગિન્દ્રિય:...ર્વત્ર ન તિર્થતે ગીતા ૫.૭). પાણીમાં રહેવા છતાં કમળનું પાંદડું જેમ પાણીથી વેપાતું નથી તેમ જે વ્યક્તિ રૂપ, રસ, ઇત્યાદિ વિષયોમાં વિરક્ત થઈ તે સંસારમાં રહે તો પણ દુઃખોના પૂરની પરંપરાથી લપાતો નથી (સરખાવો - હવે વિરો... નિપૂણ ભવમત્તે વિ સંતો નન્ને વા પોવર્ધ્વર ૩૪ ] ( [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy