SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૧.૮.૭. શ્રમણ : બ્રાહ્મણ બ્રાહ્મણ - બ્રહ્મચર્ય વિભાગ ૧નાં (૧-૫) અધ્યયનોમાં મુનિ શબ્દની સાથે કે વિકલ્પે કે પર્યાયાર્થમાં શ્રમણ શબ્દનો પ્રયોગ થયો નથી. અહીં અને અન્યત્ર પણ શ્રમણ અને બ્રાહ્મણ શબ્દો એકબીજાના પર્યાપવાચી શબ્દ તરીકે યોજ્યા છે. સૂત્ર ૪.૨.૧૩૬માં તે બંનેને શસ્ત્રપરિક્ષાની વિચારસરણીની વિરુદ્ધ આચરતા લોકો (સાધુઓ) તરીકે ચીતર્યા છે (જુઓ § ૧.૪). વૈદિક કાળમાં બ્રાહ્મણ, શ્રમણ, પરિવ્રાજક, વગેરે અનેક પ્રકારના અનગાર (સંસાર/ ગૃહ ત્યાગી) મુનિઓ વિહરતા રહેતા હતા. તે સૌની વિચારસરણી મહદંશે સમાન હતી. તેઓ સંસાર ત્યાગી, તપ અને વ્રત દ્વારા આત્મજ્ઞાન કે મુક્તિનો માર્ગ અપનાવતા. જૈન અને બૌદ્ધ સાહિત્યમાં શ્રમણ-બ્રાહ્મણ નામનો અનેક સ્થળે પ્રયોગ થયો છે. ઉત્તરકાલીન જૈન આગમોમાં અનેક સ્થળે મહાવીર માટે બ્રાહ્મણ શબ્દનો તો કોઈવાર શ્રમણ શબ્દનો પ્રયોગ થયો છે (જુઓ ઉ૫૨). કેટલાક સંશોધનકારો શ્રમણ શબ્દનું મૂળ ચીની કે હિમાલયની ઉત્તરે વસતી આર્યતર જાતિની, સંસ્કૃતિમાં જણાવે છે. તેઓની વિચારસરણીમાં જાદુ, મારણ-તાડન, અભિચાર, ઇત્યાદિનું મહત્ત્વ હતું. તેઓ શ-મન તરીકે ઓળખાતા, જેનું પ્રાકૃતમાં સમણ અને સંસ્કૃતમાં શ્રમણ શબ્દથી રૂપાંતર થયું છે. વળી, મગધ સામ્રાજયમાં પુરોહિત તરીકે પણ કેટલાક ‘શ્રમણો રહેતા. તેઓના વિચારોમાં હિમાલય પ્રદેશના બોન ધર્મની અસર હતી, એવું સ્ફૂર્ણાંકનું મંતવ્ય છે (ALB 1967-68, પૃ.૨૦૨-૨૧૦). ઉપરાંત, તે જણાવે છે કે મુનિ ગૃહસ્થ મણ હતા અને સંસારત્યાગી પણ હતા (જેમકે ઐતરેય બ્રાહ્મણ, ૪.૩૩.૧)! ભારતની આર્યેતર આદિ જાતિના મુંડા લોકોએ શ્રમણ વિધિની પરંપરા સ્વીકારી હતી તેવું વાસ્તેર રૂબેનનું માનવું છે સાચો બ્રાહ્મણ ખરેખર તત્ત્વજ્ઞનાં લક્ષણો ધરાવતો હોય છે એવું ઉત્તરાધ્યયન ૨૫નું વર્ણન ઔપનિષદ વિચારણા સાથે સંવાદ ધરાવે છે. F ૧.૮.૮. નિર્વાણ : સમગ્ર બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં ફક્ત એકવાર જે નિર્વાણ શબ્દ આવે છે (૬.૫.૧૯૬.. . संति विरति उवसमं નિાળ...મિવવૃધમ્મમાવવુંના શાંતિ, વિરતિ, ઉપશમ, નિર્માણ... ભિક્ષુધર્મ જણાવવો) તે સૂત્રાંશ સૂત્રકૃતાંગ II.૧.૧૫ માંથી અહીં લીધું છે. તે મૂળે સૂત્રકૃતાંગ ા.૩.૪.૨૦ (સવ્વસ્થ વિરૂં ગ્ના સંતિ નિબ્બાળમાહિય સર્વત્ર વિરતિ કરવી; વિરતિ = શાંતિને નિર્વાણ કહ્યું છે) ઉપરથી આ બધા પર્યાયો સાથે સૂત્રકૃતાંગ II.૧.૧૫ માં વિસ્તાર પામીને આચારના ધૂત અધ્યયનમાં પ્રક્ષિપ્ત થયું (જુઓ શુબીંગ વો.મ.પૃ.૧૪૪, ટિ.૮ અને બોલ્લે II. પૃ.૧૩૯, ઉપર § ૧.૬.૧.) ! આચાર I. ૧.૬.૪૯ માં પરિનિર્વાણ શબ્દ આવે છે. પણ તે સૂત્રાંશ પ્રક્ષિપ્ત છે (જુઓ § ૧.૧.૨). આચારના બીજા શ્રુતસ્કંધમાં અને અન્ય આગમ ગ્રંથોમાં પણ નિર્વાણ શબ્દનો પ્રયોગ થયો છે તેમાં બૌદ્ધ વિચારસરણીની અસર થઈ હોય એમ લાગે છે. આચાર બ્રહ્મચર્યમાં શાંતિ (૧.૭.૫૬, ૨.૩.૮૫), વિરત (અનેકવાર) અને ઉપશમ કે ઉપશાંત (૩.૨.૧૧૬ = ૫.૪.૧૬૪) ઇત્યાદિ શબ્દપ્રયોગો પ્રાચીન છે. વળી, બ્રહ્મચર્ય પરિભાષામાં નિવૃત (નિ+હૈં, ઢાંકવું, રક્ષવું, મુક્ત થવું, તો કોઈવાર સંતોષ કે સુખ પામવું, જુઓ વિશેલ §§ ૫૧, ૨૧૯.) શબ્દપ્રયોગ પણ મળે છે. (જુઓ § ૩.૧.) પ્રાચીન બૌદ્ધદર્શનમાં નિર્વાણ શબ્દ અમૃતના અર્થમાં વપરાતો, અને અમૃત શબ્દ ઉપનિષદો જેવા વૈદિક સાહિત્યની અસર સૂચવે છે (જેમકે મૃત્યોમાંમમૃતં ગમય, મૃત્યુમાંથી મને અમૃત તરફ દોર, બૃહદારણ્યક ઉપનિષદ ૧.૩.૨૮) એવું જાપાનના વિદ્વાન શોઝેન કુોઈનું મંતવ્ય છે (જુઓ Der Nirvana Begriff in den des Buddhismus, ફ્રાઉવાલ્નેર અભિનંદન ગ્રંથ, વીએના ૧૯૬૮-૬૯, પૃ.૨૦૫-૨૧૩). Texten લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] Jain Educationa International For Personal and Private Use Only [ ૨૫ www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy