________________
વૈશ્યોના જીવનકાળમાં પ્રથમ વિદ્યાર્થીજીવનના આશ્રમ - બ્રહ્મચર્ય-આશ્રમ-તરીકે રૂઢ થયો. તેના મૂળમાં કામ કે રતિના સંયમનો અર્થ સમાયેલો છે. આમ, બ્રહ્મચર્ય શબ્દ ત્રણ અર્થ સૂચવે છેઃ (૧) બ્રહ્મ કે ઉત્તમ તત્ત્વમાં ચર્યા, (૨) બ્રહ્મચર્ય-આશ્રમ વિદ્યાભ્યાસ, દીક્ષા અને (૩) કામ-રતિ-સંયમ. પરંતુ કેટલાક લોકો બ્રહ્મચર્ય-આશ્રમની મર્યાદા પૂરી કરી ગૃહસ્થી જીવન જીવવું પસંદ નહીં કરતાં, આ જીવન બ્રહ્મચર્ય અપનાવતા. તેમાં ઉત્તમ તત્ત્વમાં ચર્યા–આચરણકરવાનો તેમનો મુખ્ય આશય હતો (વિસ્તાર માટે - હેક્ટરમાન-સમાવર્તન, અને ભટ્ટ - ૧૯૯૫ પ્રકરણ ૨).
જૈન આગમોમાં બ્રહ્મચર્યના કામ-રતિ-સંયમ જેવા અર્થને પાંચ મહાવ્રતો પૂરતો મર્યાદિત કરી તેને મૈથુનવિરમણની નવી સંજ્ઞા આપી. પરંતુ બ્રહ્મચર્ય-આશ્રમ અને આજીવન બ્રહ્મચર્યનો કોઈ પર્યાય વિશેષ મુશ્કેલ હતો, તેથી તે સંજ્ઞાઓ તે જ અર્થમાં યોજાતી ગઈ. તેનો ગૌણ અર્થ વિદ્યાભ્યાસ ઇત્યાદિ, અને મુખ્ય અર્થ આજીવન બ્રહ્મચર્ય-અનગાર જીવન અથવા અગૃહસ્થી કે મુનિનું જીવન. તેમાં મૈથુન-વિરમણનું વ્રત પાલન સમાઈ જાય છે.
પહેલા શ્રુતસ્કંધ - બ્રહ્મચર્યનો અર્થ હવે સ્પષ્ટ છે, તેમાં આજીવન બ્રહ્મચર્ય ઉત્તમ તત્ત્વ બ્રહ્મમાં આચરણ કરવાનો મુખ્ય અર્થ છે. બ્રહ્મચર્ય વિભાગ - ૧માં જણાવ્યું છે કે સત્તા વંમતિ ..(બ્રહ્મચર્યમાં - આજીવન - વાસ કરીને ... ૪.૪.૧૪૩=૨.૧૮૭=૬.૪.૧૯૦, સરખાવો ૫.૨.૧૧૫) . આચારચણિ. (પૃ. ૧૫૦, ૧૭૦, ૨૦૯, ૨૨૯) અહીં બ્રહ્મચર્યનો કામ-રતિ-સંયમ જેવો અર્થ કરે છે તે અતિ-સંકુચિત અર્થ છે. છાંદોગ્ય ઉપનિષદ જણાવે છે... અથ શ્રીમન્યાવક્ષતે વ્રર્યમેવ ત, વ્રહાન હૈવાત્માનાવદ્ય મનુતે...(જેને મુનિનું આચરણ કહે છે તે બ્રહ્મચર્ય જ છે, બ્રહ્મચર્યથી જ આત્માને પામીને તે વિચારે છે; ૮.૫.૨, બ્રહ્મચર્યના આવા અર્થ માટે છાંદોગ્ય ઉપનિષદ ૮.૪ અને ૮.૫ જુઓ !). ઉત્તરકાલીન જૈન આગમોમાં બ્રહ્મચર્ય શબ્દ જૈનઆગમોના અભ્યાસકાળની સ્થિતિ વિદ્યાર્થી-આશ્રમ) પૂરતો મર્યાદિત કર્યો અને કોઈવાર ન છૂટકે સંયમ, તપ કે ચારિત્રાના અર્થમાં ઘટાવ્યો (જુઓ આચાર-ચૂર્ણિ પૃ. ૧૫૦, ૧૭૦, ૨૦૯, ૨૨૯, શીલાંક-આચાર પૃ. ૬, ૧૨૯, ૧૩૯, ૧૬૦, ૧૬૭).
વળી, બ્રહ્મ તત્ત્વને જે જાણે છે તેને ઉપનિષદોમાં બ્રહ્મવિદ કહે છે, જેમકે બ્રહ્મવિદ્વાનોતિ પરમ્ (તૈત્તિરીય ઉપનિષદ ૨.૧ “બ્રહ્મવિદ પર ત્તત્ત્વ-પામે છે”), હૈ વિશે વિતવ્ય-તિ ૨ જ વર્ દ્રવિરો વન્તિ (મુંડક ઉપનિષદ ૧.૧.૫- “બે વિદ્યા જાણવી જોઈએ એમ જે બ્રહ્મવિદોએ જણાવ્યું છે';અને ““બ્રહ્મ જાણનાર બ્રહ્મ થાય છે”. મુંડક ઉપનિષદ ૩.૨.૯). શીતોષ્ણીય અધ્યયનમાં પણ કહ્યું છે કે, તે આવી. વી. નંખવી પUTTIf
Tખરૂં (રૂ. ૧.૧૦૭, તે આત્મવિદ-વેદવિદ-બ્રહ્મવિદ પ્રજ્ઞાનથી લોકને સંપૂર્ણ જાણે છે, સરખાવો બૃહદારણ્યક ઉપનિષદ ૩.૭.૧, જુઓ હું ૧.૩, અહીં વિટુ ને બદલે - વત પાઠાન્તર યોગ્ય નથી. (જુઓ શબીંગ-વો.મ.પૃ.૮૧, ટિ ૩). બ્રહ્મવિદ શબ્દ આચારાંગમાં ફક્ત અહીં જ વપરાયો છે. શીલાંકને અહીં બ્રહ્મ શબ્દનો અ કલંક,-વિકલ વિનાનું યોગિ-શર્મ-યોગીઓનો આશ્રય યોગીઓનું સુખ, પૃ.૧૦૩) જુદો કરવો પડયો છે! કારણ કે બ્રહ્મ શબ્દ એક ઉત્તમ તત્ત્વના અર્થમાં બ્રાહ્મણ વિચારધારામાં પ્રચલિત થયો છે. જૈન આગમોમાં બ્રહ્મવિદ શબ્દ કયાંય બીજે વપરાયો નથી ! પરંતુ, બ્રહ્મવિદ શબ્દ ઉપનિષદોમાં ઘણીવાર આવે છે. ૭ ૧.૮.૫. વેદવિદ :
ઉપર્યુક્ત વિવેચનમાં આપણે જોયું કે શીતોષ્ણીય અધ્યયનમાં (૩.૧.૧૦૭) આત્મવિદ અને વેદવિદ શબ્દો પણ યોજાયા છે. વળી, ૪.૪.૧૪૫ જણાવે છે કે પતિ વિય વહિ વ સોયં નિમ્નવંતી રૂદ મળ્યું
— સતં દ્રશૂળ તો નિન્નારૂ વેચવી (મર્ય-મનુષ્યોમાં નૈષ્કણ્વદર્શી વેદવિદ બાહ્ય સંસાર પ્રવાહ છેદી, કર્મને પરિણામ જાણી તેમાંથી છૂટી જાય - વિરામ પામે છે, જુઓ આચાર-ચૂર્ણિ પૃ.૧પર), અને ૫.૪.૧૬૩ પણ કહે છે કે પૂર્વ સે અપૂણા વિવેવં કિટ્ટર વેચવી (આમ તે વેદવિદ અપ્રમાદથી વિવેકનું કીર્તન કરે છે). તથા GHવકૃમેયં તુ પેદા સ્થ વિન્ન વેચવી (૫.૬.૧૭૪, એ આવર્ત - પુનર્જન્મ જાણીને એમાંથી વેદવિદ અટકે).
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ]
[ ૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org