SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના ઉપાસક બને. વર્તન કરવા માટેના ઉપર શ્રદ્ધા થાય તેટલું ઉપગ પિતાનું શું અને પારકું શું તેને વિવેક કરે ? અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમષિ ફરમાવે છે કે મનુષ્યભવની પ્રાપ્તિ સફળ કરવી હોય તે શાસ્ત્રનું શ્રવણ કરી, તેના ઉપર શ્રદ્ધાળુ બની, એ શ્રદ્ધાને અનુસરતું વર્તન કરવા માટે જેટલું વીર્ય પોતાનામાં હોય તેટલું ઉપગમાં લેવું એ જરૂરી છે. એ ત્રણ વસ્તુઓનું સેવન નહિ થાય તે મળેલી ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ નિષ્ફળ થશે, અને પરિણામે પસ્તાવું પડશે. માટે પસ્તાવાને સમય ન આવે એની સાવ ચેતી અત્યારથી લેવામાં આવે એ જરૂરી છે. જીવનના અંતિમ સમયે બધા વિચારે સફળ નહિ થઈ શકે. પણ આ બધું ક્યારે ? મનુષ્યભવની કિંમત સમજાય ત્યારે! જ્ઞાની પુરુષે જેની પ્રસંશા કરે તેમાં કાંઈ ગુહ્ય કારણ હોય જ. મનુષ્યજીવન પામ્યા વિના હજી સુધી કઈ પણ આત્મા મુક્તિના અનંત સુખને ભાગીદાર થયો નથી, થતો નથી અને થવાને પણ નથી. જે મનુષ્યપણુથી મુક્તિનું અનંત સુખ મેળવી શકાય તે મનુષ્યપણું પામીને મેળવવા જેવું ન મેળવીએ અને ઉલટે રસ્તે પ્રયાણ કરીએ તે પામ્યા પછી કરવાનું ન કરીએ તે? તમને એમ લાગે છે કે શાસ્ત્ર કહે છે તે કર્યા વિના માનવજીવન સફળ થાય? તમે જે કરી રહ્યા છે તેનાથી સફળ થશે એમ પણ માને છે ? જ્યારે તમને આ બધી વાતને બરાબર નિરધાર થઈ જશે, ત્યાર પછી આ બધી વસ્તુઓ તમને રુચશે. પછી બહુ કહેવાની જરૂર નહિ રહે. કહેવત છે કે “શાણાને શિખામણ સાનમાં સાનમાં ઈશારામાં કોણ સમજે? શાણું. માટે પહેલાં શાણુ બને, વિચારક બને અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy