SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબળ વધે કે પુદ્ગલબળ ? [ ૨૯૫ અધમી ને જતાં મારે માટે ફૂલની શય્યા તૈયાર છે. વાંધો નહિ, એ કદી તિરસ્કાર નહિ કરે; પણુ જાય કે એની તાકાત વગર-અગ્નિએ અને વગ૨-૩૫દ્રવે પણ ખાળીને ભસ્મ કરી નાખે એવી છે. એમ લાગે કે વિરેાધી તે સમજી ત્રણ ખંડના ધણી રાવણ સીતાજીને ઉપાડી લાવ્યે તે ખરા પણ પછી સીતાજી પાસે આવવું એને ભારે પડતુ. સીતાજીના શીલના જ એ પ્રભાવ હતા, બીજુ કશુ કારણ ન હતું. રાવણને અભિગ્રહ હતા કે પારકી રમણીની ઇચ્છા વિના તેની સાથે ભોગ ન કરવા. એ નિયમે એના આત્માને વારંવાર પચાવ્યેા છે. રાવણુ જ્યારે જ્યારે આન્યા ત્યારે ત્યારે સીતાજીએ દરેક વખતે એને કઠોરમાં કઠોર શબ્દો સંભળાવ્યા. રે ! કોઈ કહે કે, સીતાજી જેવી મહાસતીને આટલા ગુસ્સા શેાલે ? તા કહેવુ પડે કે એ કહેનાર સમજ વગરને છે; કારણ કે સીતાજીને એ ગુસ્સો પણ શીલની રક્ષા માટે હતો. રાવણે એક વાર મદોદરીને, સીતાજીને સમજાવવા માટે મેાલી હતી. પતિની દલાલી કરવા આવનારી મદોદરીનું એ ડહાપણ હતુ કે ગાંડપણુ ? એમાં એની પતિભક્તિ ખરી કે નહિ ? ખરેખર, એ પતિભક્તિ ન જ કહેવાય. ૫તિના માહે એને ફસાવી હતી. સીતાજી પાસે એ આવી, બેઠી અને કહે છે કે અરે સીતા ! સેાળ હજાર અંત:પુરીના માલિક, રૂપે કામદેવ જેવ, તારા દાસ થવા તૈયાર થયા છે તે તું શા માટે હઠ પકડે છે ? સ ંમત થઈ જા, અમે સાળે હજાર તારી દાસીની જેમ સેવા કરીશું. આવી તક જતી ન કર. રામચંદ્ર જેવા ભટકતા ભીખારીને વળગી રહી, આવેલા ભાગ્યને પાછુ ન ઠેલ. લક્ષ્મી ચાંલ્લા કરવા આવી છે તે વખતે માઢું ફેરવી લેવાની મૂર્ખાઈ ન કર. હું સલાહ આપુ છું કે તું આ વાતને સ્વીકારી લે.' ત્યારે સીતાજી ઉગ્રતાપૂર્વક તેને કહે છે કે, “ અરે મ ંદોદરી ! ધિક્કાર છે તને. તુ મારી પાસે બેસવાલાયક પણ નથી. તને જોઈને મને શરમ આવે છે. મને આજે જ ખબર પડી કે તમારા બેયના સમાન યાગ થયેા છે. • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy