SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ] જીવન-સાફલ્ય દર્શન–૧ દીક્ષા લીધી હતી માટે તારે પણ લેવી હોય તે પહેલાં મને મરવા દે. જા, મહાવીરને પૂછી આવ કે તમે માતાના જીવતાં આ માર્ગ લીધું હતું ? ” આવું કાંઈ એ માતાએ ન કર્યું. કેમ ? ભગવાન શ્રી મહાવીરનું જીવન એ જાણતાં નહિ હોય ? બધું જાણતાં હતાં પણ એમની દૃષ્ટિ જુદી. તમે બધા જાણે પણ તમારી દષ્ટિ જુદી. મળે તે શ્રી મહાવીરના જીવનમાંથી પણ મે જમજા મેળવવી એવી ઘણાની ધૂન છે. તમારી પાસે કથા કહેવામાં પણ ભય છે. એમાંથી પણ તમે ફાવતું કાઢે. ત્યાગ માટે કહેવાતી કથામાંથી અર્થ-કામ શોધી કાઢે એવા હોશિયાર તમે છે. વડીલની આજ્ઞા માનવાનું ભગવાને કહ્યું પણ વડીલે આજ્ઞા કેવી કરવી, એ ભગવાને કહ્યું છે કે નહિ ? વડીલ વડીલપણું ગુમાવીને આજ્ઞા કરે તે વડીલપણું ગુમાવે છે. એવા એ વડીલના વાલીપણામાં રહેવાની ફરજ ન હોય. શાસ્ત્ર કહે છે – માબાપ ઉપકારી છે, શરીરના સંરક્ષક અને વર્ધક છે. માબાપને ઉપકાર જેતે નથી. એ ઉપકાર નહિ માનનારા કૃતને છે. માબાપની અવગણના કરનારા દીકરાઓ એ મા બાપના સાચા દીકરા જ નથી. તાકાત હોય તે માબાપ ખાતર શરીરને પણ ભેગ આપી દેવું જોઈએ, પણ એ માબાપ શરીરના પિષણ માટે આત્માને ભેગ માગે છે તે ન અપાય. શરીરના પાલક અને પોષક છતાં એ માબાપ શરીરના અધિષ્ઠાતાને કદી ન ભૂલે. કેવળ મેહ કે સ્વાર્થ ખાતર શરીરને સાચવવા આત્માનું ન બગાડે. ઉન્માર્ગે જતા પુત્રને કાનપટ્ટી પકડીને સમાગે ખેંચી લાવવાને માબાપને હક્ક છે. શ્રી જૈનશાસને એ અધિકાર માન્ય રાખે છે. આજે તો કેટલાક એવા પણ પાક્યા છે કે એ માબાપને પણ સંભળાવે છે કે “અમે ન હોત તે તમારું વાંઝીયાપણાનું મેણું કેણું ટાળત? આવું કહેનારા દીકરાઓની તે આ શાસનમાં કુલાંગાર તરીકેની ગણના છે. એવા દીકરાઓથી તે માબાપો છતે દીકરે દીકરાઓ વગરના બની ગયા છે. શાસ્ત્ર કહે છે કે દીકરા બા ઉપર માબાપને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy