SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ] જીવન-સાફલ્ય દર્શન ૧ ફળની ઈચ્છા નહિ. ધર્મ પ્રતાપે સ્વર્ગાદિ કદાચ મળી જાય પણ એની ઈચ્છાથી ધર્મ કર્યો તે સંસારમાં રૂલી જવાશે. મેક્ષની ઈચ્છાએ આરાધતાં કુદરતી રીતે સ્વર્ગાદિ મળે તે ભલે, પણ માગ્યું તે મૂળ ગયું. પણ અહીંનાં તુચ્છ સુખની વાસના ન મટે, ચોવીસે કલાક એ વાસનાઓથી રીબાતા હેય, એનું જ રટણ હેય અને કહું કે સ્વર્ગની વાસના ન કરો, દેવાંગનાઓ તથા દેવતાઈ સુખો ન ઈચ્છે અને માત્ર મોક્ષસુખને જ ઈચ્છ, તે એ કેવી રીતે બને ? જેને દુન્યવી સુખો પણ દુઃખરૂપ લાગે તેનાથી જ એ બને. જૈનધર્મને મૂળ પાયે અહીં જ સમાયેલું છે. વિહાર બે પ્રકારના કહ્યા છે: આપણે માટે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા એ જ ધર્મ. એમણે કર્યું તે કરવું એમ નહિ, કહ્યું તે કરવું એમાં ધર્મ. એમણે કહેલું તે એ જ કરે અગર એમના જેવા જ કરી શકે. આ અવસર્પિણીમાં અસંખ્યાતા આત્માઓ મુક્તિમાં ગયા તે વીસ શ્રી તીર્થંકરદેવની આજ્ઞાન પાલનથી જ મુક્તિએ ગયા, નહિ કે એ ચોવીસે જેમ કર્યું તેમ કરીને. શ્રી કલ્પસૂત્ર તમે દર વર્ષે સાંભળે છે. તેમાં પણ ભગવાન જ્યારે દીક્ષા લેવા જાય છે ત્યારે કુલવૃદ્ધાઓ શું કહે છે? જો કે ભગવાન તે સ્વયં જ્ઞાની છે. તેમને ઉપદેશની જરૂર નથી. છતાં એ કુલવૃદ્ધાએ તેમને શ્રી જિનપદિષ્ટ માર્ગે ચાલવાને ઉપદેશ આપે છે. ધર્મ એ શ્રી જિનેશ્વરદેવનું જીવન નહિ પણ તેમની આજ્ઞા. આજ્ઞા મુજબ ચાલવામાં જ ધર્મ શાસ્ત્રમાં ઠામઠામ લખ્યું છે કે ઘો '. શ્રી તીર્થંકરદેવે “૩વર્નર વા, વિમેર વા, ઘુવેર વા' કહ્યું. એના ઉપરથી શ્રી ગણધરદેવેએ સમગ્ર દ્વાદશાંગ રચી. એવા શ્રી ગણધર દેવેએ પણ એમ ન કહ્યું કે અમે આમ કહીએ છીએ. દ્વાદશાંગી રચી એમણે, પણ બતાવી કેણે? માટે જે કાંઈ કરીએ તે એમની આજ્ઞાને અનુસારે જ કરવાનું. એ તારકનાં દાન, શીલ, તપ, ભાવ, દશા, સ્થિતિ, જ્ઞાન, અતિશયે, મહિમા, પ્રભાવ, છાયા વગેરે બધું ઉપરથી એમ ન કહ્યું કે માટે જે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy