SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] જીવન–સાફલ્ય દર્શનન ચાલે, શીલ એટલે સુંદર આચાર તે આપણું જીવન સાથે જોડાયેલે જ હવે જોઈએ વગેરે” આ બધું તમારા પોતાનામાં તે સભામાંથી અવાજ થયે કે “બધાયે વાંધા.” શું બોલે છે? આ ઘરડા આદમી કહે છે કે “બધા વાંધા.” આમાંયે વાંધા? આથી જ હું કહું છું કે મૂળ વસ્તુ ઉપર રાગ આવ્યા વિના છેડા પણ ત્યાગની વાત સચવાની નથી. એ જ હેતુથી જ્યારે નાને નાને ત્યાગ કરવા કહીશ ત્યારે તે ભારે પડશે. આમાંથી (એઘામાંથી) તે છટકે છે પણ નાનામાંથી નહિ છટકાય. ના પાડશે તોયે ફજેતી થશે. પરસ્ત્રી–ત્યાગની ને પાડવી એ ફજેતી નથી ? પરસ્ત્રીના ત્યાગની વાતમાં ના પાડનારની આબરૂ રહે કે જાય? દીક્ષા વગેરેની બાબતમાં “નથી બની શકતું, શું કરીએ?” એમ કહો તો કહી શકો છે, પણ ઉપરની વાતમાં પિલ ચલાવવા ધારે તે શી રીતે ચાલે? વ્યવહારમાં કહેવાય છે કે ભણેલે ખરે પણ ગણેલ જોઈએ. ધારાશાસ્ત્રી ધારા ભણીને આવે, પછી બે-ચાર મહિના સુધી સાંભળ વાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ધાને ઉપગ અનુભવી કેમ કરે છે તે જાણવું જોઈએ. પહેલાં ભણવું, પછી ગણવું. અનુભવ લીધા પછી બેસવા જેગે અને બોલવા જેગે થાય. પણ અહીં તે ન ભણવું, ન ગણવું ને જૈન કહેવરાવવું? કેવું આશ્ચર્ય છે? શું ભણ્યા તે કહો? શું ભણ્યાથી જૈન કહેવાય ? તમે ધાંધલમાં તૈયાર, પણ જૂઠું ન બેલવા, ભૂલ સુધારવા તૈયાર નથી. જૈનપણું ખીલવવા હું જે કહું છું તે તમને ગળે ઊતરે છે કે નહિ? આ વાત તમને ન રુચે તે પાર શી રીતે આવશે? જૈનશાસન કહે છે કે – ज्ञानक्रियाभ्यां मोक्षः એક્લા જ્ઞાનથી મુક્તિ જૈનશાસને માની નથી. કયું જ્ઞાન, કયી કિયા હોય તે જન કહેવાઓ એ કહે? સાધુ ક્યારે કહેવાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy