SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૭ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ક્યારે દઉં” એ ભાવના ન હેય ને આવે અને લઈ પણ જાય, તે પણ નિરર્થક નિવડે, કારણ કે જે ચીજ હૃદય ઈછે નહિ, જેની હૃદયમાં ભાવના નહિ, તે સારામાં સારી વસ્તુ હોય તે પણ વાસ્તવિક લાભ ન દઈ શકે. “અતિથિ આવે ને દઉં” એ ભાવના હોય ને અતિથિ આવે તે આનંદની છોળે ઉછળે. શ્રી નયસારને મુનિને થડે સંગ પણ ફળે. ન હતી ઓળખાણ કે ન કંઈ પૂર્વની પિછાણ તથા સમ્યકત્વની પ્રાપ્તિ થઈ, એ શાથી? એણે એવા ભેગની તૈયારી કરી રાખી હતી. વગર કિયાએ જેનપણું ટકશે? જે મુનિપણાના પ્રતાપે મુનિને વેગ આવું ફળ આપી શકે તે મુનિપણાની વાતે તમને કાંઈક ભયરૂપ દેખાય છે એ શથી ? એથી જ કે “એના વિના આ સંસારથી વિસ્તાર નથી થવાને. આ પ્રમાણે જે અનંત ઉપકારી પરમષિઓએ ફરમાવ્યું છે તે યથાર્થ રીતિએ રુચ્યું નથી. આવી દશામાં તમને કોઈ જૈન કહે તે વખતે ડેઘણો આઘાત થ જોઈએ. જૈનપણના ન સંસ્કાર, ન ભાવના, ને ન તેવી શુદ્ધિ, છતાં જેન છીએ એમ કહી સંતોષ કેમ પામે છો? જૈન, ન શ્રી જિનેશ્વરદેવને ઓળખે, ન તે પરમતારકની આજ્ઞાને પિછાણે, ન શું કરવું જોઈએ તે જાણે... છતાં પિતાને જૈન કહેવરાવે એ કેટલું આશ્ચર્ય છે? કાપડિયે કોણ? ન ગજ પકડતાં આવડે, ન કાતર પકડતાં આવડે, ન કાપડની જાતભાત ઓળખે, એ દુકાને બેસીને કમાય ? એની દુકાન ચાલે? કાપડિયાની દુકાને નોકરી કરવી હોય તેય આટલું તે શીખવું પડે કે એ મંગાવે તે જાતને તાકે લાવી આપવો જોઈએ. વેપારની, ખાવાપીવાની, બજારની, ઓફિસની આ બધી કેળવણી લેવી અને માત્ર જેનપણની કેળવણીથી આઘા રહેવું એ કેટલી બધી દુર્દશા છે ! છોકરો દુનિયાનું ન ભણે, વેપાર ન આવડે, પચીસ-પચાસ લાવતાં ન આવડે તે બાપ તે છોકરાને અક્કલ વગરને બેવકૂફ કહે, પણ શ્રી જિનેશ્વરદેવની પૂજા ન કરે, વ્યાપાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy