SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્યા રહેલા આત્માઓને કેટલા કાળ સુધી અગણિત નાના નાના જન્મ કરવા પડતા હશે? અને ગાય સુધી પહોંચતામાં કેટલા જન્મ કરવા પડ્યા હશે? એ મૂળ પ્રશ્ન પર આપણે આવી પહોંચ્યા. જવાબમાં—“અનન્ત જન્મ કરવા પડ્યા હશે, એમ કહેવું જ પડશે. અનાદિકાળથી વિકાસ માર્ગમાં ચાલેલે પ્રત્યેક આત્મા પ્રત્યેક ક્ષણે કાંઈને કોઈ વિકાસ પિતાની ચગ્યતાના પ્રમાણમાં કર્યું જાય છે, એ ખરું, છતાં ઘણા આત્માઓ હજુ વિકાસની છેલ્લી હદ સુધી પહોંચી શક્યા નથી, જે કે કઈક તો પહોંચી શક્યા છે, છતાં મોટી સંખ્યા નથી પહોંચી, તે આપણે નજરે જોઈએ છીએ. તે ઉપરથી વિકાસનાં પ્રત્યેક પગથિયાં પર રહેલા અગણિત પ્રાણીઓને વિકાસ માર્ગ પર પ્રયાણ કરવાના લાંબા વખતને, દરેક જન્મમાં રહેજ રહેજ થતા વિકાસને, અનન્ત પ્રાણિજ સૃષ્ટિનો, લાંબાકાળે સિદ્ધ થાય એવા વિકાસમાર્ગને, જગતના અનાદિપણાને, અને એક આત્માના અનન્ત જન્મનો પણ ખ્યાલ આવશે. અહીં ઘણા પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે, ને તેના ઉત્તરો પણ બરાબર બુદ્ધિગમ્ય કરી શકાય તેવા આપી શકાય તેમ છે. કારણ કે કેટલાક પદાર્થો પ્રગમ્ય હોય છે, ને કેટલાક બુદ્ધિગમ્ય હોય છે. તેમને આ વિષય આપણને તે બુદ્ધિગમ્ય વિષય છે. છતાં વિશેષ વિસ્તાર કરે ઉચિત જણાતું નથી. ૧૧, વિ કા સ ની મ ય – સા ધ્ય તા. ઉપરની બધી વિચારસરણિ જે વસ્તુ રિથતિને ખ્યાલ આપતી હેય, બુદ્ધિગ્રાહ્ય થાય તેવી લાગતી હોય, તો આપણે આત્મા આટલી લાંબી મુસાફરી કરી–અનન્ત જન્મો કરી-કેટલી હદ સુધી દૂર આવી પહોંચે છે? તેને ખ્યાલ કરે. એટલે હજુ પણ ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy