SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કેઇપણ અજાણ માણસ પરમાણ, ઈથર, પ્રકાશ, કે વિજળી વિગેરે ને લસતા શાસ્ત્રીય પ્રશ્ન બુદ્ધિમાં ન ઉતારી શકે, તેથી તે વસ્તુઓમાંના અમુક સત્ય બુદ્ધિગમ્ય નથી એમ કેમ કહેવાય ? ૧૦. અ ના દિ જ ગ – અને અનન્ત જ ને. આ રીતે પતન અને અતિપતન વિગેરે પતનની ભૂમિકાઓ, અને વિકાસ તથા અતિવિકાસ વિગેરે વિકાસની ભૂમિકાઓ વટાવતાં વટાવતાં પતનની અને વિકાસની છેલ્લી ભૂમિકા સુધી બુદ્ધિ જઈ પહોંચશે. નિર્ણય એ આવશે કે –આત્માની દરેકે દરેક શક્તિને સંપૂર્ણ વિકાસ તે વિકાસની છેલ્લી હદ તથા આત્માની દરેકે દરેક શક્તિને અત્યન્ત દબાવી દેવી, અથવા અત્યન્ત દબાયેલી રિથતિ–લગભગ જડ જેવી સ્થિતિ–તે અત્યન્ત છેલ્લામાં છેલ્લું પતન એ બને એ હોવા જોઈએ. લગભગ જડ જેવી સ્થિતિ એટલા માટે કહેવામાં આવે છે કે ગમે તેટલું પતન છતાં “આત્માનું અસ્તિત્વ કાયમ છે. એટલી સાબિતી પુરતા પણ આત્મત્વના અત્યંત બારીક અંશે તે વખતે કાયમ હેયજ છે. જે તેટલા પણ અંશો બાકી ન રહેતા હોય તે, આત્મા જ રહે ન ગણાય, અને તે વખતે આત્માને જડજ કહે પડે. પરંતુ કોઈપણ પદાર્થ પિતાનું મૂળ સ્વરૂપ છોડીને તન્ન બદલાઈ શકતું જ નથી. એટલે “લગભગ” અને “જડ જેવી સ્થિતિ” શબ્દ વાપરેલા છે. દા. ત. અત્યન્ત ઘનઘોર વાદળાથી સૂર્ય ઢંકાયા પછી દિવસ પણ લગભગ રાત્રી જે–અંધકારમય બની જાય છે. છતાં તેમાં દિવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy