SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ આથી કરીને જુલ્મીમાં જુલ્મી રાજાને અંતે તે મહાજનમાં જ પ્રતિષ્ઠા મેળવવી પડતી હતી. તેને રાજી રાખવામાં આવતું હતું. પિતાની કુટે અને સ્વચ્છેદ વર્તનમાં તેનાથી છુપાવીને જ ચાલવું પડતું હતું. અરે ! વેષ અને રીતભાત કેમ રાખવી? તેને માટે પણ મહાજનથી શંકાશીલ રહેવું પડતું હતું. અન્યાય કરે છે, પણ રખેને મહાજન ન જાણી જાય, તેની સાવચેતી રાખવી પડતી હતી. પિતાના પ્રદેશમાં મહાજન બહુ સબળ ન હોય, પરંતુ બીજા પ્રદેશમાં જ્યાં સબળ મહાજન હોય, ત્યાં પણ પિતાની અપકીર્તિ થાય છે કે નહીં? તેની સંભાળ રાખવી પડતી હતી. કેટલાક જુલ્મ રાજાઓએ કર્યા હશે. પણ તેથી પ્રજાના આખા સળંગ ઈતિહાસ અને મહત્ત્વના જીવનપ્રવાહમાં એક તદ્દન ક્ષુદ્ર અને નજીવા જ બનાવો ગણાયા છે. તત્કાળ જરા ચમક જણાય, પછી તે તે બધું ડૂબીજ જાય. આટલી મહાજનની મહત્તા ચાલી આવી છે. અમુક રાજ્યની હદમાં વસતી પ્રજા રાજ્ય સંસ્થાને રાજ્ય સંસ્થાના વહીવટ પૂરતું જ માન આપતી હતી. અને તેટલી જ તેની આધિનતા સ્વીકારતી હતી. પિતાના વિકાસ માટે પિતે સ્થાપેલા ખાતાને જરૂર જેગું માન ન આપે, તે વ્યવસ્થા (ડીસીપ્લીન) કેમ રહે? તે ઉપરાન્ત પ્રજા તદ્દન સ્વતંત્ર હતી. ભારતની આખી પ્રજાકીય સંસ્થાના પ્રમુખ-જગત શેઠ વેતામ્બર જૈન છે. બંદર શિવાયના વ્યાપારી મથકેમાંના પહેલા નંબરના સ્થળ અમદાવાદના નગરશેઠ શ્વેતામ્બર જૈન છે. અને ઠેકઠેકાણે નગરશેઠ અને શહેર સમિતિના આગેવાન વહીવટક્તઓ મોટે ભાગે જેનેજ છે. એ સંસ્થા ભારતના રીતસર પ્રજાકીય પ્રતિનિધિત્વવાળી સંસ્થા છે. જ્યારે “મહાસભા માં તેના શતાંશ જેટલું પણ વારતવિક પ્રતિનિધિત્વ નથી. એ પરિસ્થિતિ સમજવા જેવી છે. મહાજનના મેંબર તરીકેની જૈનેની સ્થિતિને બાદ કરતાં રાજ્યનીતિ કુશળતા, લડાયક કુશળતા, વ્યાપારી કુશળતા, નૈતિક ૩૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy