SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ અંધારણેા ખુબ પ્રચારમાં આવતા જાય છે. જેમ બને તેમ તે પ્રમાણે સંસ્થાએ થાય એ વધારે ઇષ્ટ ગણવામાં આવે છે. કેમકે-પછી ભલેને તુરત તે સંસ્થાબંધ પડે. પરંતુ ડૅમેાક્રસીના નવા બંધારણની પ્રજાને યાદ તાજી રહે, તેની કેળવણી અને તાલીમ મળ્યે જાય. ને જુના બંધારણ ભૂલાતા જાય, તેના તત્ત્વોની કેળવણી અને તાલીમ ન મળે, એટલે મનમાંયે તે બંધબેતા ન લાગે, તેના હેતુઓ અને સિદ્ધાંતાના વિચાર કરવા અવકાશ પણ ન મળે, જેથી તે નાશ પામતા જાય. [ નવા બંધારણની અસર અનેક રીતે ફેલાઇ રહી છે. પરંતુ ખુદ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી સંસ્થામાં પણ તેના તત્ત્વો દાખલ થઇ ગયા છે. જ્યારથી તેને શ્વેતામ્બર સંઘની પ્રતિનિધિ ગણવાની પાલીસી અખત્યાર કરી ત્યારથી તેમાં ધીરે ધીરે એ તત્ત્વો દાખલ થઇ ગયા છે. રાજકાટ, ભાવનગર વિગેરે સંધાના બંધારણેામાં પણ એ તત્ત્વા દાખલ થયા કે તુરત ધર્મ સંસ્થાપર રાજ્ય સત્તા બાજુમાં જ ઉપર સત્તા તરીકે અડેડ આવી પહેાંચી છે. અને પેાતાના શહેર શિવાયના આજુબાજુના પ્રદેશનું પ્રતિનિધિત્વ અને સત્તા હાથમાંથી છુટી જાય છે. તે વાત તે બંધારણ કબૂલ કરનારાઓના ધ્યાન બહાર રહી ગયેલ છે. એક હત્યુ સત્તાને એક જાતના અણગમે પણ વાતાવરણમાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે, એક હથુ સત્તા જેતે કહેવામાં આવે છે, તે વાસ્તવિક રીતે એક હહ્યુ હાતી નથી. અને નાણા પ્રકરણી ધક્કા તે તેમાં જેમ લાગતા હતા, તેજ રીતે નવામાં પણ નથી લાગતા, એવું કાંઇ નથી. હાલના ધેારણની વહીવટી પદ્ધતિને! આશ્રય લેવાથી વહીવટી ખર્ચ વધ્યા છે, તથા તેમાં પરાશ્રયતા પણ એટલીજ આવી છે. એક પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, અને બે ત્રણ વર્ગના મેમ્બરો મળે, ઠરાવા સભ્યાના બહુ મતે પસાર થશે. વિગેરે જાતના એક ખરડા કરીને સંસ્થા અસ્તિત્વમાં આવી જાય છે. તેને જેમ કરવું હાય, તેમ કરે કાઇ તેને રોકે નહી', દેશના વકીલ, મેરીસ્ટરો પણ એજ જાતના બંધારણની સલાહ આપે. કારણકે, તેએને પણ એ તરફ નુંજ જ્ઞાન હેાય છે, ભારતીય પરિસ્થિતિનું તે ચોક્કસ જ્ઞાન લેશ માત્ર નથી હેતું. તે જ્ઞાન કરવાની તેઓને જરૂર પણ પડતી નથી. કારણકે પેલા સાથે અવિકાને અને પ્રતિષ્ઠાનેા સંબંધ છે. આ દ્વિમુખી વર્ગથી પ્રજા બહુ છેતરાઇ છે, આ સારી આવકના ધંધાદારી વર્ગ હાવાથી ૨૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy