SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ આજ સુધીના પરિશ્રમને પરિણામે બહાદુરે કઈ જાતનું સર્ટીફીકેટ મેળવી લાવ્યા છે, તે જુઓ. સાહિત્યની દૃષ્ટિએ જોતાં જૈન ધર્મશાસ્ત્રોના એને ઉંચી કોટિમાં મૂકી શકાય તેમ નથી. માત્ર શ્રોતાને જ નહીં પરંતુ વક્તાને પણ અતિશય નિરસ લાગે છે. અને આજના વાચકને તેમાં એટલે રસ ભાગ્યેજ આવે, કે જેથી તેને અત્યાનંદ થાય.” બીજું સર્ટીફીકેટ જોઈએ, તે તેપણ – ધાર્મિક અનુભવની ગંભીરતામાં અને સ્વરૂપ રચનામાં જૈન ધર્મ બીજા ધર્મ કરતાં ઉતરતો છે.” આજ સુધીનું પરિણામ તો આ છે. એટલે પાસેના ભૂતકાળના બનાવોના અત્યારના સમાચક–અમને તો ભૂતકાળના કાર્યકર્તાઓની ભેળભાવે થયેલી ભૂલેજ જણાય છે. છતાં તેમાં એક બચાવ એ છે કે–એવા ભેળાભાવે પણ તેઓને ઉદ્દેશ તો પ્રતિષ્ઠા અપાવવાને હતો. પરંતુ ગતાનુગતિક્તાથી દેરાઈ ગયા છે. છતાં તેઓની તે નબળાઈ છે કે જેઓ પિતાના ભાઈઓને તેમ કરતાં આગ્રહપૂર્વક રોકી ન શક્યા. જૈનદર્શનની સાધદૃષ્ટિથી, સંશોધન, જ્ઞાનાભ્યાસ, પ્રચારકાર્ય, વિવેચના અને પૃથક્કરણ કરવાની મનાઈ કરવામાં આવે છે, એમ લેશમાત્ર સમજવાનું નથી. બલકે વિશેષ પ્રમાણમાં કરવાનું છે. જગતના શિક્ષણકાર્યના ઇતિહાસે હાલમાં ઘણાં લખાયા છે, તેમાં પ્રાચીન વિદ્યાલય-વિદ્યાપિઠ, સ્થિર અને જંગમ ગુરુકુળ, પાઠશાળાઓ, ગુરુ-આશ્રમ તથા આધુનિક યુનિવર્સિટીઓ વિગેરેના વિવેચને જોવામાં આવે છે. પરંતુ તેમાં જંગમ જૈન ગુરુકુળવાસના શિક્ષણની સંસ્થા તરીકેના વર્ણને નથી મળતાં. તેનું કારણ –બીજી ઘણી બાબતેની જેમ તેના એ તો હજુ બહાર જાહેરમાં નથી. જાહેરમાં આવ્યા પછી તે કેવી સંગીન યુનિવર્સીટી હતી ને ૨૬ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy