SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. એ પરમ સાહિત્યના ઉપયોગ કેવળ-વિકાસ માગ માં ઉપયોગ કરવા સમ્યગજ્ઞાન મેળવવામાં હતા, તેને બદલે ખુદ જૈન બાળકા તેમાંથી આજીવિકા મેળવતા થયા છે. એ પણ નૈતિક અને આધ્યાત્મિક એક બે પગથિયા પતન જ છે. અરે ! માતાપિતા તુલ્ય જ્ઞાન શું વ્યવસાયના સાધન તરીકે ? હાય ! પાપી પેટ ! વળી તેના સંશોધને જે આધ્યાત્મિક દૃષ્ટિબિંદુએથી કરવાના છે, તેને બદલે આધુનિક જડવાદના દૃષ્ટિબિંદુથી થાય છે. તે દૃષ્ટિબિદુએએ આમાંથી શું જાણવા જેવું છે ? એ ખ્યાલથી જ આજે તે લેાકાતેના અભ્યાસ કરે છે. તેજ દૃષ્ટિબિન્દુને આગળ કરીને પ્રસિદ્ધ કરે છે. એટલે અન્યથા યજન થઈ જવાથી સમ્યગ શ્રુતપણુ પરના હસ્તક યત્કિંચિત્ પણ સરકાર પામવાથી મિથ્યાશ્રુત થવાના ખાચ સંભવ છે. વળી મુદ્રિત થયેલ જૈનસાહિત્ય જગતના ઇતર સાહિત્ય સાથે કબાટામાં સરખે સન્માને બેસે છે, અને સરખુ સન્માન પામે છે. એ ખરેખર ખેદનો વિષય છે. પ્રભુ મહાવીર જેવા જગતના સ શ્રેષ્ઠ સિદ્ધ મહાપુરુષોની જગતના કલ્યાણ માટે સર્વ શ્રેષ્ઠ જે વાણી છે. તેનું સ્થાન કેટલુ પૂજ્ય અને કેટલુ ઉચ્ચ હોવું જોઇએ ? તેની તે જરા કલ્પના કરો. તેને બદલે આમ સાની સાથે તેને બેસારવામાં તેનું સામાન્ય અપમાન નથી, ભાષાન્તરા અને સારાંશા તારવવાથી તેને આત્મા જ માર્યો જાય છે. મૂળ આગમાની પાછળ વકતાના આત્મા તેની ભાષામાં અને શૈલીમાં ચમકતા હૈાય છે. તે ભાષાન્તર કે સારાંશ તારવણીમાં કદ્દી નજ ઉતરી શકે. મહાત્મા પુરુષોના શબ્દોના ધ્વનિ પાછળ ગુજતા તેમના પવિત્ર આત્મા પણ શ્રેાતાકે વાચકને અસર કર્યાવિના રહેતાજ નથી. દર્શન પ્રભાવક બીજા સાહિત્યની પ્રસિદ્ધિ વિષે કદાચ બચાવ કરી શકાય, પરંતુ આગમ ગ્રંથૈને છપાવવા, તેના ભાષાન્તર કરવા ૨૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy