SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ સેસાયટી કામ ચલાઉ ભલે ઉભી કરી લે. યુનિવર્સિટીઓમાં તેને પ્રચાર ભલે મોટામાં મેાટા આડંબરથી કરે. પરંતુ ભારતીય શિષ્ટા તેના તરફ તેની અસંપૂર્ણતા સુધી ઉપેક્ષાભાવથીજ જોવાના, ભલે મકેાલે વિગેરે ભારતીય સાહિત્યને વ્હેમ અને અતિશયોક્તિનું સાહિત્ય કહે, દેવી દેવલાનું સાહિત્ય કહે, અસંભાવ્ય વાતાને ખીચડા કહે, પરંતુ તે સ્વાર્થ બુદ્ધિના આક્ષેપેા છે, ઉંડી ગવેષાના નિય નથી. એમ હવે આપણે સ્હેજે સમજી શકીએ છીએ. અલબત્ત–આધુનિક જડવાદના વિકાસમાં પ્રાચીન સાહિત્ય ઉપયાગી નથી, તેથી તેઓ તેને નકામું ગણતા હોય, તે-તે વાતમાં સત્યાંશ હશે. ભારતીય જ્ઞાનના શાસ્ત્રો અગાધ જ્ઞાનીઓના વિશ્વ વિષે અંતિમ નિયા છે. તેમાંથી અહીંની પ્રજાને ચલિત કરવાના આધુનિક તનતાડ પ્રયત્નને એક ક્ષુદ્ર બાળચેષ્ટાજ ગણી શકાય. ] ――― [ વસ્તુ સ્થિતિ આવી છતાં કેટલાક આધુનિક લેખકેા લખે છે કે‘જૈન સૂત્રેાની શૈલી ઘણી વિચિત્ર છે, રસ ન પડે તેવી છે. ” તે ખરૂં છે. શાસ્ત્રોના અસિકને રસ ન પડે, એ સ્વાભાવિક છે. ઉલટી રીતે, તે શાસ્ત્રોના રસિક્રને બીજા કાઇ સાહિત્યમાં રસ ન પડવા દે, તેવી પણ છે. જૈન સૂત્રેાની રચના એમને એમ-કાઇ શૈલિ, ધારણ કે પતિ વિના થઇ નથી. જૈન સૂત્રોની રચનાનું પણ શાસ્ત્ર છે. તે શાસ્ત્રના સિદ્ધાંતા પ્રમાણે એ સૂત્ર રચાયાં છે. એ રચનાશાસ્ત્ર, તંત્રયુક્તિશાસ્ત્ર, જૈનસૂત્રરચનાશાસ્ત્ર, જૈનશાસ્ત્ર રચના પરિભાષા શાસ્ત્ર જેવું હોય, તેા શ્ર અનુયાગદ્વારત્ર જુએ. તેમાં જણાવેલા જૈનશાસ્ત્રચના નામના વિજ્ઞાન શાસ્ત્રના આધારપર જૈન સૂત્રેાની રચના છે. અને તેની રચના એ નિયમેા અનુસારજ થઇ શકે. અલબત્ત, બાળવાના હિત ખાતર વખત જતાં અનેક કાર્ ણાને લીધે પાછળથી સમર્થ, સુવિહિત અને પ્રામાણિક સ માન્ય પૂર્વાચાઈંએ એજ રચનાને સંક્ષેપીને ટુંકાણમાં ગાઠવી છે. પરંતુ જો તેને પેાતાના મૂળ સ્વરૂપમાં જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હેાત, તે તે અદ્દભૂત રસ ઉત્પન્ન કરે તેવું છે. જૈનશાસ્ત્રોની રચના શૈલિનું પણ શાસ્ત્ર છે, તે સમજીને જૈનશાસ્ત્રો વાંચવાથી ખૂબ અપૂર્વ રસ આવશે. દરેકે દરેક પદાર્થીની સૂત્ર— બહતા માટે સમાન આલાવાની અપૂર્વ પદ્ધતિ, એક વાક્યતા, એક ધારી શૈલી વિગેરે આ સૂત્રેામાં જ જોવામાં આવે છે. વેદાનુ' રચનાશાસ્ત્ર જેમ વૈદિક પ્રક્રિયા અને દ્રિ સૂત્રેા પૂરૂં પાડે છે, ૧૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy