SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ છે, અવિવેક છે, સારાસાર વિભાગનું અજ્ઞાન છે, વસંતુરિથતિ કરતા ઉલટ ખ્યાલ છે. એવી સમાનભાવના વાસ્તવિક સમાન ભાવના નથી. તથા સૌ સૈને રથાને પણ દરેકને ન માનતાં વધારે હલકા પ્રકારના કે વધારે ઉંચા પ્રકારના માનવામાં ચોકકસ અસમાનભાવના છે, તે પણ એજ અવિવેક છે. માટે દરેક ધર્મો સરખાં છે. એમ ન કહેતાં દરેક ધર્મો પોતપોતાને રથાને યથાયોગ્ય છે. અને તેથી વિપરીત હોય તે અયથાયોગ્ય છે, એમ કહેવું જોઈએ. - હવે વ્યક્તિ પર વિચાર કરતાં કોઈપણ એક ધર્મમાં રહેલા માનવસમૂહમાંની કોઈપણ વ્યક્તિ તેથી ઉતરતા યા તેથી ચડતા દર જાને લાયક હોઈ શકે છે. પરંતુ તે પોતાની તે જાતની લાયકાત બરાબર સિદ્ધ કર્યા પછી, તેથી થતી લાભહાનિ સ્વી “ લેવા તત્પર રહી, નીચેના કે ઉપરના દરજજાવાળા ધર્મમાં યોગ્ય દાખલ થઈ શકે છે. પરંતુ તેથી ધર્મના દરજજામાં કાંઈ તફાવતુ નથી. વ્યકિતઓની યેગ્યતાના પણ ચડતા ઉતરતા દરજજા હોય છે, છતાં સામાન્ય રીતે અમુક પરિસ્થિતિઓથી ઘેરાયેલા માનવસમૂહમાં લગભગ સર્વ સામાન્ય અમુક જ દરજજો હોય છે. તેથી “જે માનવસમૂહની જે જાતની આજુબાજુની પરિસ્થિતિ હોય, તેને અંગે ધર્મને જે દરજજો ઘડાય હાય ને ગોઠવાઈ ગયે હૈય, તેમાં જ સંતોષ માને, તેમાં જ રસ લે, તેને સારી રીતે અમલ કરે, એ તેના હિતની વાત છે. એ સિદ્ધાંત તરી આવે છે. કઈ કઈ વ્યકિતઓ અપવાદ તરીકે હૈઈ શકે, છતાં તેથી એ સિદ્ધાંતને બાધ આવી શકતો નથી, સમુદાયનું માનસ તથા તેની આજુબાજુની બધી પરિસ્થિતિઓ એકાએક બદલાઈ જતાં નથી, એવા ઘણું કુદરતી સંજોગ હોય છે કે જે, એના એજ દરજજા ઉપર વત્તે ઓછે અંશે કેટલાક પ્રાસં ૧૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy