SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્નતા કરીને વિલખાપણે હાથ ધસતા ઉભા રહી જશે. અને જુના ભેદ–પ્રભેદો તમારી મશ્કરી કરતા એમને એમ મક્કમપણે તમારૂં અટ્ટહાસ્ય કરશે. એ તે તમને સમજાયું જ હશે ? ઐક્યની વાતા કરવા જતાં ધર્મમાં ઉલટાં છેલ્લા સ। પચાસ વર્ષોમાં ભેદો વધ્યા છે. પ્રીતીઓમાં થીઆસાફીટ, વૈદિકામાં આસમાજ, જૈનેામાં માત્ર-જૈનોના ચાચા પ્રકાર વિગેરે વસ્તિપત્રકમાં નોંધાયા છે. આ તે એકતા ? કે ભેદ ? માટે ભે-દપ્રભેદેાના કુંડાળા ઉપાડી લેવાની જરૂર નથી, તેથી ગભરાવાની જરૂર નથી, તેમજ તેના તરફ અણગમા કેળવવાની પણ જરૂર નથી. મુખ્ય મહાધર્મ એક છતાં, તેની શાખા-પ્રશાખાઓ જુદા જુદા ધર્મ તરીકે જણાય છે, તેનું કારણ એ છે કે—જુદા જુદા પ્રદેશ અને સ્થળામાં માનવવસવાટ, જુદે જુદે વખતે જુદી જુદી ભાવનાની આવશ્યક્તા, જુદા જુદા સ્વભાવના બંધારણેા, આજુબાજુના જુદા જુદા કુદરતી સોગેા, જુદી જુદી વિકાસ ભૂમિકાની જુદી જુદી ચાગ્યતા ધરાવતા માનવસમૂહેા: એ ભેદને લીધે એકજ ધર્મ જુદા જુદા સ્વરૂપમાં વ્હેંચાઈ ગયા છે. ધમ નું સામાન્ય સ્વરૂપ એકજ જાતનું છતાં એ રીતે માનવ જરૂરીઆત પ્રમાણે વિભક્ત થવાથીજ ધર્મ માનવસમાજની સેવા કરી શમ્યા છે. દરેકે દરેક ધર્મ તે તે પરિસ્થિતિમાં રહેલ માનવાનું કાંઇને કાંઇ ચોક્કસ કલ્યાણ કર્યું જ છે. કેમકે તે તે માનવ વર્ગ માટે તે તે જાતના જ ધર્મો જરૂરના હતા. અને દરેકમાં મહાધમના પ્રવાહ એચ્છેવત્તે અંશે પહેોંચ્યા જ છે. એ રીતે ધર્માથી લાભ મેળવીને કેટલાયે જીવા જન્માન્તર કરીને આજસુધીમાં ધીમેધીમે પણ ચાક્કસ મહાવિકાસની નજીક આવ્યા છે. ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy