________________
८८
ઉત્તર
ઉત્તર
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ અંતરકરણ કરતો છતો બીજા સમયે અનંતાનુબંધિનું ઉપર રહેલું સ્થિતિનું દલિક ઉપશમાવે છે. પહેલા સમયે થોડું બીજા સમયે અસંખ્ય ગુણ એમ એક
અંતમુહૂર્ત કાળ સુધી ઉપશમાવે છે. પક્ષ ૫૬૪. ઉપશમ શ્રેણીવાળા જીવોને અનંતાનુબંધિચારની ઉપશમના
હોય કે ક્ષય ? કેટલાક આચાર્યોનાં મતે ઉપશમ શ્રેણીમાં અનંતાનુબંધ ચાર કષાયનો ઉપશમ જ હોય છે. જયારે મતાંતરે એ ચાર પ્રકૃતિઓનો ક્ષય (વિસંયોજના)
જ હોય છે. પ્રભ ૫૬૫. અનંતાનુબંધિ વિસંયોજના શ્રેણી કયા જીવો કરી શકે ?
ચારે ગતિના સત્ની પર્યાપ્ત જીવો કરી શકે છે. તેમા દેવતા-નારકી ચોથા ગુણસ્થાનકે, તિર્યંચો ચોથા -પાંચમા ગુણસ્થાનકે અને મનુષ્યો ૪ થી ૭
ગુણસ્થાનકમાં કરી શકે છે. પ્રભ ૫૬૬. દર્શનત્રિકની ઉપશમના ક્યા ગુણસ્થાનકે થાય ?
દર્શનવિકની ઉપશમના ચારથી સાત ગુણસ્થાનકમાં રહેલા જીવો અનંતાનુબંધિ ચારની ઉપશમના કે ક્ષપણા કર્યા બાદ મિથ્યાત્વ મોહનીયની ઉપશમના કરે ત્યારબાદ મિશ્ર મોહનીયની ઉપશમન કરે અને ત્યારબાદ
સમ્યક્ત મોહનીયની ઉપશમના કરે છે. પ્રભ પ૬૭. ઉપશમ અને ક્ષયોપશમમાં ફેર શું? ઉત્તર ઉપશમમાં દેશથી કે સર્વથી સંપૂર્ણ દલિકો ઉપશમરૂપે હોય છે એટલે કે
પ્રદેશોદય કે વિપાકોદયથી ઉદયરૂપે હોતું નથી જયારે ક્ષયોપશમ સમક્તિમાં અનંતા ૪ તથા મિથ્યાત્વ-મિશ્રમોહનીય પ્રદેશોદય રૂપે કે ઉપશમરૂપે હોય છે.
જયારે સમજ્ય મોહનીય નિયમ વિપાકોદય રૂપે હોય છે. પ્રકા ૫૬૮.પ્રદેશોદય કોને કહેવાય? ઉત્તર પોતાના રૂપે પ્રકૃતિનો ઉદય ન થતાં તેની પ્રતિપક્ષી બીજી પ્રકૃતિરૂપે ઉદયમાં
આવીને ભોગવાય તે પ્રદેશોદય. પ્રમ ૫૬૯.વિપાકોદય કોને કહેવાય ? ઉત્તર પોતાના રૂપે જ પ્રકૃતિ ઉદયમાં આવીને ભોગવાય તે. પ્રશ્ન ૫૭૦. પ્રદેશોદય કે વિપાકોદય ન હોય તેને શું કહેવાય ? ઉત્તર જે પ્રકૃતિઓનો પ્રદેશોદય કે વિપાકોદય ન હોય અને સત્તામાં રહેલી હોય
તેને સર્વોપશમના કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org