SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ પ્રશ્ન ૩૪૮,નામ કર્મમાં ગતિ નામ કર્મનાં દલિકો કઈ રીતે હોય ? ઉત્તર ૫૫ દેવગતિ-નરકગતિમાં પરસ્પર તુલ્ય અને ગતિ અપેક્ષાએ સૌથી થોડા હોય તેનાથી મનુષ્યગતિનાં દલિકો વિશેષાધિક તેનાથી તિર્યંચગતિમા વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૪૯,જાતિ નામ કર્મને વિષે દિલકો કઈ રીતે હોય ? ઉત્તર બેઈન્દ્રિય-તૈઈન્દ્રિય-ચઉરીન્દ્રીય-પંચેન્દ્રીય જાતિના દલિકો પરસ્પર સરખાં હોય છે અને સૌથી થોડા તેનાથી એકેન્દ્રિય જાતિના દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૫૦.પાંચ શરીરમાં દલિકોની વહેંચણી કરી રીતે હોય ઉત્તર આહારક શરીરનાં દલિકો સૌથી થોડા, તેનાથી વૈક્રીય શરીરનાં દલિકો વિશેષાધિક, તેનાથી ઔદારિક શરીરનાં દલિકો વિશેષાધિક, તેનાથી તૈજસ શરીરના દલિકો વિશેષાધિક, તેનાથી કાર્યણ શરીરનાં દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૫૧.સંઘાતન નામ કર્મમાં દલિકોની વહેંચણી શી રીતે હોય ? આહારક સંઘાતનનાં દૃલિકો સૌથી થોડા, તેનાથી વૈક્રીય સંધાતનનાં દલિકો વિશેષાધિક, તેનાથી ઔદારિક સંધાતનના દલિકો વિશેષાધિક, તેનાથી તૈજસ સંઘાતનનાં દલિકો વિશેષાધિક, તેનાથી કાર્યણ સંઘાતનનાં દલિકો વિશેષાધિક જાણવા. ઉત્તર ઉત્તર પ્રશ્ન ૩૫૨,બંધન નામ કર્મને વિષે દલિકોની વહેંચણી શી રીતે હોય ? આહારક આહારક બંધનનાં દિલકો સૌથી થોડા તેનાથી આહારક તૈજસ બંધનનાં દૃલિકો વિશેષાધિક તેનાથી આહારક કાર્પણ બંધનનાં દૃલિકો વિશેષાધિક તેનાથી આહારક-તૈજસ-કાર્યણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી વૈક્રીય વૈક્રીય બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી વૈક્રીય તૈજસ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી વૈક્રીય કાર્યણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી વૈક્રીય - તેજસ - કાર્મણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી ઔદારિક ઔદારિક બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી ઔદારિક તૈજસ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી ઔદારિક કાર્યણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી ઔદારિક-તૈજસ-કાર્યણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી તૈજસ તૈજસ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી તૈજસ કાર્મણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી કાર્યણ કાર્યણ બંધનનાં દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૫૩.અંગોપાંગ નામ કર્મમાં દલિકો કઈ રીતે હોય ? ઉત્તર આહારક અંગોપાંગના દલિકો થોડા તેનાથી વૈક્રીય અંગોપાંગના દલિકો વિશેષાધિક તેનાથી ઔદારિક અંગોપાંગના દલિકો વિશેષાધિક જાણવા. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy