________________
(
પ્રકાશકીયર
-
---
છે
---
-
--
-
-
----
------
--
-
-
પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના ૧૫મા પુસ્તક તરીકે કર્મગ્રંથ-૫ પ્રશ્નોત્તરી ભાગ-૩ પ્રકાશિત થયા પછી ખૂબ ટુંકા ગાળામાં અમે કર્મગ્રંથ ૫ પ્રજોત્તરી ભાગ-૪ પ્રોત્તરી ગ્રંથમાળાના ૧૬માં પુસ્તક તરીકે આપની સમક્ષ રજૂ કરી શક્યા છીએ તેનો સંપૂર્ણ યશ નવસારીના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પેઢીના ઉદારચિત્ત, | ટ્રસ્ટીઓને ફાળે જાય છે. અમે તો હજુ પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ તરફથી ભવિષ્યમાં પણ સારો એવો સહયોગ મળી રહેશે કે જેથી અપ્રગટ એવું, ખૂબ જ મનન કરી કર્મના રહસ્યને સમજવામાં સહાયક બને તેવું સાહિત્ય અમે તેઓના સહયોગના સહારે જિજ્ઞાસુવર્ગ, સમક્ષ મુકી શકીશું.
ગ્રંથ બાબત તો અમારે કાંઈ જ કહેવાનું નથી. એને સમજનાર વર્ગ તરફથી વારંવાર આવા પુસ્તકો પ્રગટ કરવા માટેની આવતી માગ એ જ એની ચાહનાનો પૂરાવો છે.
લેખક-સંપાદક ગણિશ્રીના આશયથી અવર કાંઈ છપાઈ ગયું હોય અગર પ્રેસે દોષ કે તપાસણીની ખામીને કારણે ભૂલો રહી જવા પામી હોય તો તે બદલ ક્ષમા માગીએ છીએ અને તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર ભાવે વિનંતી કરીએ છીએ.
ફરી એક વાર આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપનો આર્થિક સહકાર જેટલો જલદી સાંપડશે, સાહિત્ય તેટલું જ જલદી આપના કરકમળમાં આવી મળશે. શાન ખાતાની રકમનો પણ સ્વીકાર કરવામાં આવે છે.
એ જ પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org