SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯. કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૩૩. અનંતા પ્રદેશી ઢંધો જગતમાં કેટલા હોય ? ઉત્તર એ અસંખ્યાત સ્કંધોથી એક એક પરમાણુ અધિક કરતાં કરતાં અનંતા પરમાણુઓવાળા અનંત પ્રદેશી ઢંધો જગતમાં અનંતા હોય છે. પ્રશ્ન ૨૩૪. આ વર્ગણાઓમાંથી ગ્રહણયોગ્ય વર્ગણા ક્યારે બને? ઉત્તર આ રીતે અનંત પ્રદેશી ઢંધો પણ એક એક પરમાણુથી અધિક થતાં જાય તો પણ જીવોને ઔદારિક અગ્રહણ યોગ્ય ગણાય છે, તે અભવ્ય જીવોથી અનંતગુણ અથવા સિદ્ધનાં જીવોથી અનંતમા ભાગ જેટલા અધિક પરમાણુ ઓવાળા સ્કંધો થાય ત્યારે ગ્રહણ યોગ્ય બને છે. એમેવ વિવાહાર તે આ ભાસાનુપાણ પણ કમે ! સુહુમાં કમાવગાહો ઉમંગુલ અસંખસો ૩૬ ભાવાર્થ - એ પૂર્વોક્ત પ્રકારે જ વૈકીય, આહારક, તેજસ ભાષા શ્વાસોચ્છવાસ મન અને કર્ષણ વર્ગણા હોય એ ઔદારિક આદિ વર્ગણા અનુક્રમે સુકમ જાણવી અને તેની અવગાહના ઓછામાં ઓછી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે ૭૬ II પ્રશ્ન ૨૩૫. ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણા ક્યાં સુધી જાણવી ? ઉત્તર ઉદાર-સ્થૂળ સ્કંધ વડે નિષ્પન્ન તે ઔદારિક શરીર. તેની વર્ગણા તે સજાતીય પુદ્ગલનો સમુહ. એ ઔદારિકની જધન્ય વર્ગણા. તે પછી એક એક પરમાણુની વૃદ્ધિ એ મધ્યમ ગ્રહણ યોગ્ય વર્ગણા ત્યાં લગે જાણવી કે જ્યાં લગી ઉત્કૃષ્ટ થાય. પ્રમ ૨૩૬. ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણા જઘન્ય ક્યારે થાય ? ઉત્તર ઔદારિક ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક વર્ગના તે ઔદારિક માટે જઘન્ય અગ્રહણ યોગ્ય વર્ગગા થાય છે. તે પ્રભ ૨૩૭. ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણા શાથી ગણાય ? ઉત્તર કારણકે ઔદારિકને ગ્રહણ કરવા યોગ્ય પુદ્ગલ સ્કંધો કરતાં અધિક પુદ્ગલ થાય છે. તથા સ્થલ વર્ગગાને બદલે સુક્ષ્મ થતી હોવાથી ઔદારિક માટે અગ્રહણ યોગ્ય ગણાય છે. પ્રશ્ન ૨૩૮. ઔદારિક અગ્રહણ યોગ્ય વૈકીય માટે કેવી ગણાય ? શાથી ? જે ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણા છે તે વૈકીય માટે પણ અગ્રહણ યોગ્ય ગણાય છે કારણ તેમાં પુદગલો ઓછા છે અને તેની અવગાહના મ્યુલરૂપે થાય છે માટે અગ્રહણ યોગ્ય બને છે. પ્રશ્ન ૨૩૯.આ ઔદારિક અગ્રહણ યોગ્ય વૈક્રિય અગ્રહણયોગ્ય કયાં સુધીની ગણવી ? ઉત્તર આ અગ્રહણયોગ્ય વર્ગણા જઘન્ય વર્ગણાથી એક એક પરમાણુના સમુદાય વાળી અધિક કરતાં કરતાં ઉત્કૃષ્ટથી અનંતી વર્ગણાઓ થાય એ- - For Personal and Private Use Only ઉત્તર Jain Educationa International www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy