SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ 30 ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૧૭૩. જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અજઘન્ય રસબંધ કેટલા પ્રકારે હોય ? કયા કયો ? જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મને અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કહેલ છે : (૧) સાદિ રસબંધ (૨) અનાદિ રસબંધ (૩) ધ્રુવ રસબંધ (૪) અધુવ રસબંધ પ્રશ્ન ૧૭૪. જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અજઘન્ય રસબંધ ચારેય પ્રકારે શી રીતે જાણવા ? જે ભવ્ય જીવો ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે અજઘન્ય રસબંધ બાંધી અગીઆરમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાંથી પતન પામી દશમાં ગુણસ્થાનકે આવે અથવા કાળ કરી ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત થાય ત્યારે નવેસરથી અજઘન્ય રસબંધ ચાલુ કરે તે સાદિ કહેવાય છે. તે સ્થાન હજી સુધી જે ભવ્ય જીવો પામ્યા નથી તેઓને અનાદિ કહેવાય છે. આગળ જે ભવ્ય જીવો તે સ્થાનને પામશે તેવા જીવોને અધૂવ કહેવાય છે. અભવ્ય જીવો કદી એ સ્થાનને પ્રાપ્ત કરવાના ન હોવાથી ધુવરસબંધ કહેવાય છે. પ્રશ્ન ૧૭૫. જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનાં જઘન્ય અનુત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ બંધ કેટલા કેટલા પ્રકારે હોય ? કયા ? જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનાં જઘન્ય રસબંધ બે પ્રકારે સાદિ. અધુવ અનુત્કૃષ્ટ રસબંધ બે પ્રકારે સાદિ-અધૃવરૂપે હોય છે. પ્રશ્ન ૧૭૬.વેદનીય કર્મનો અનુત્કૃષ્ટ રસબંધ કેટલા પ્રકારે હોય? કયા ? ઉત્તર વેદનીય કર્મનો અનુત્કૃષ્ટ રસબંધ ચાર પ્રકારે હોય છે : (૧) સાદિ રસબંધ (૨) અનાદિ રસબંધ (૩) અધુર રસબંધ (૪) ધ્રુવ રસબંધ. પ્રભ ૧૭૭. વેદનીય કર્મનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ? જે ભવ્ય જીવો ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી દશમા ગુણસ્થાનકના અંત સમયે અનુષ્ટ બંધ કરી અગિયારમા ગુણસ્થાનકે જાય ત્યારે વેદનીય કર્મના રસબંધનો અભાવ એટલે બંધ વિચ્છેદ થાય છે ત્યાંથી પડી દશમા ગુણસ્થાનકે આવે ત્યારે ફરીથી અનુષ્ટ રસબંધ કરે ત્યારે તે સાદિબંધ કહેવાય. અભવ્ય જીવો તે સ્થાન પામવાના નથી માટે ધ્રુવ બંધ જે ભવ્ય જીવો તે સ્થાનને પામ્યા નથી તેઓને અનાદિ અને બંધ વિચ્છેદ થશે માટે અધુવ ગણાય છે. પ્રશ્ન ૧૭૮.જઘન્યાદિ બંધ કેટલા પ્રકારે વેદનીયનો હોય ? ક્યા ? ઉત્તર વેદનીય કર્મનો જઘન્ય-અજઘન્ય તથા ઉત્કૃષ્ટ બંધ બબ્બે પ્રકારે હોય છે. પ્રશ્ન ૧૭૯.જધન્યાદિબંધ બે પ્રકારે કઈ રીતે જણાય ? ઉત્તર વેદનીય કર્મના ત્રણ બંધ આ પ્રમાણે જયારે આવો જઘન્ય રસબંધ કરે ત્યારે સાદિ તેમાંથી અજઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ કરે જઘન્ય બંધ. અધુર અજઘન્ય ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy