SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૧૦૭. બે પ્રકૃતિનો જઘન્ય રસબંધ પ્રમત્તયતિ શાથી ? બીજા જીવો કેમ નહીં ? અરતિ-શોક બે પ્રકૃતિઓને પહેલા ગુણથી છઠ્ઠા ગુણવાળા જીવો બાંધે છે. તેમાં પહેલા ગુણથી અપ્રમત્તાભિમુખ થયેલા જીવો કરતાં અવિરતિ સમદ્રષ્ટિ જીવો અપ્રમત્તાભિમુખ થયેલા હોય તથા તેના કરતાં દેશ વિરતિ જીવો અપ્રમત્તાભિમુખ થયેલ હોય તેઓની કમસર વિશુદ્ધિ અનંતગુણ વધારે હોય છે. તેનાથી પ્રમત્ત સંયત અપ્રમત્તાભિમુખ થાય તેની વિશુદ્ધી અનંતગુણ વધારે હોવાથી તે જીવો જઘન્ય રસબંધ કરે છે. બીજા નહીં પ્રશ્ન ૧૦૮. ઉપર જણાવેલ અઢાર પ્રકૃતિઓનાં જઘન્ય રસબંધમાં વિશુદ્ધિ શાથી ? ઉપર જણાવેલ અઢારેય પ્રકૃતિઓ અશુભ (પાપ) પ્રકૃતિઓ છે. પાપ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ વિશુદ્ધિથી થાય છે. તે કારણથી વિશુદ્ધિ જણાવેલ છે. પ્રશ્ન ૧૦. આહારકદ્ધિક આ બે પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કોણ કરે ? શાથી ? આહારદ્રિક, આ બે પ્રકૃતિનો અપ્રમત્તથતિ પ્રમત્તાભિમુખ થયેલો જઘન્ય રસબંધ કરે છે. કારણકે આ બે પ્રકૃતિઓ પુણ્ય (શુભ) છે. શુભ પ્રકૃતિનો જઘન્ય રસબંધ સંકલેશથી થાય છે. પ્રશ્ન ૧૧૦.નિદ્રાદ્ધિક આદિ ૧૧ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કોણ કરે? ઉત્તર નિદ્રાદ્રિક-અશુભવર્ણાદિ ચતુષ્ક-હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા અને ઊપઘાત આ અગિયાર પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ આઠમા ગુણસ્થાનકના પોતપોતાના બંધ વિચ્છેદ સમયે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે. પ્રશ્ન ૧૧૧.નિદ્રાદ્ધિક આદિ ૧૧ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ક્ષેપક શ્રેણીવાળા કરે ? બીજા શાથી નહીં? ક્ષપક શ્રેણીવાળા જીવોને જેટલી વિશુદ્ધિ હોય છે. તેનાથી ઉપશમ શ્રેણીવાળા જીવોને અનંતગુણહીન વિશુદ્ધિ હોય છે. તથા આ અગીઆરે પ્રકૃતિઓ અશુભ છે. તેથી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ જે જીવોને હોય તે જીવો મંદ રસ બંધ કરે છે. પ્રશ્ન ૧૧૨. પુરુષવેદ તથા સંજવલન ૪ કબાયનો જઘન્ય રસબંધ ક્યા ગુણ ઠાણે કયા જીવો કરે છે? શાથી ? ઉત્તર પુરુષવેદ આદિ પાંચ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ભપક શ્રેણીવાળા જીવો નવમા ગુણસ્થાનકે કરે છે. તે આ પ્રમાણે નવમા ગુણના પહેલા ભાગે પુરુષવેદનો જઘન્ય રસબંધ બીજા , સંજવલન ક્રોધનો જઘન્ય રસબંધ ઉત્તર ત્રીજા , For Personal and Private Use Only માનની www.jainelibrary.org Jain Educationa International
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy