SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૮૯ ] ૩૪૯. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધ ક્યારે હોય ? ઉત્તર ઉપશમ શ્રેણીમાં વિદ્યમાન જીવો નવમા ગુણસ્થાનકના ચરમ સમયે મોહનીય કર્મનો અને દશમા ગુણસ્થાનકના ચરમ સમયે બાકીનાં છ કર્મનો અજઘન્ય સ્થિતિબંધ કરે છે. ૩૫. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મોમાં અજઘન્ય સ્થિતિબંધનો સાદિ બંધ ક્યારે હોય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધનો સાદિ બંધ આ પ્રમાણે હોયજે જીવો ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગિયારમા ગુણસ્થાનકે જાય ત્યારે વેદનીય કર્મ સિવાય છે કર્મનો અબંધક થાય છે ત્યાંથી પડીને જીવ દશમા ગુણસ્થાનકે આવે ત્યારે જ્ઞાનાવરણીયાદિ છે કર્મનો બંધ કરે છે. તે તથા નવમાં ગુણસ્થાનકે આવે ત્યાં મોહનીય કર્મનો બંધ શરૂ કરે છે તે અજઘન્ય સ્થિતિબંધનો સાદિ બંધ કહેવાય છે. ૩૫૧. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધનો અનાદિ બંધ શી રીતે જણાય ? ઉત્તર જે જીવો હજી સુધી ઉપશાંત મોહ ગુણસ્થાનકને પામ્યા નથી તે જીવોને નિરંતર બંધ હોવાથી અજઘન્ય સ્થિતિબંધ અનાદિ કહેવાય છે. ૩૫૨. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધનો ધ્રુવ બંધ કઈ રીતે જણાય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધ ધૃવ રૂપે આ પ્રમાણે હોયઅભવ્ય જીવો કોઈ કાળે પહેલા ગુણસ્થાનકથી આગળ વધવાના ન હોવાથી ઉપશમ શ્રેણી પામવાના ન હોવાથી તે જીવોને અજઘન્ય બંધ ધ્રુવ બંધ રૂપે કહેવાય છે. ૩૫૩. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજઘન્ય સ્થિતિબંધ અધુવરૂપે કઈ રીતે જણાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy