SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૪ ૪ ૧૫૭. એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓનાં કેટલાં વર્ગો કહેલાં છે ? કયા - કયા ? ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકૃતિનાં નવ વર્ગો જણાવેલાં છે. તે આ પ્રમાણે - ૧. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિનો ૧ વર્ગ જ્ઞાનાવરણીય વર્ગ. દર્શનાવરણીયની નવ પ્રકૃતિનો ૧ વર્ગ દર્શનાવરણીય વર્ગ ૩. વેદનીયની પ્રકૃતિનો એક વર્ગ વેદનીય વર્ગ મોહનીયની પ્રકૃતિનો એક વર્ગ દર્શન મોહનીય વર્ગ. કપાય પ્રકૃતિઓનો એક વર્ગ કપાય મોહનીય વર્ગ. નોકષાય પ્રકૃતિઓનો એક વર્ગનોકષાય મોહનીય વર્ગ ૭. નામકર્મની પ્રકૃતિઓનો એક વર્ગ નામ વર્ગ. ૮. ગોત્રકર્મની પ્રકૃતિઓનો એક વર્ગ ગોત્રવર્ગ. ૯. અંતરાય કર્મની પ્રકૃતિઓનો એક વર્ગ અંતરાય વર્ગ. ૧૫૮. જ્ઞાનાવરણીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય? ઉત્તર જ્ઞાનાવરણીય વર્ગની જઘન્ય સ્થિતિ આ પ્રમાણે. ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમની છે. તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિથી ભાગતાં ૩/૭ સાગરોપમ થાય. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરીએ તે જ્ઞાનાવરણીય વર્ગની જઘન્ય સ્થિતિ કહેવાય છે. ૧૫૯. દર્શનાવરણીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર દર્શનાવરણીય કર્મની જે ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમની, છે તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ વડે ભાગતાં ૩/૭ સાગરોપમ આવે છે. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરીએ તે દર્શનાવરણીય વર્ગની જઘન્ય સ્થિતિ કહેવાય છે. ૧૬૦.વેદનીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર વેદનીય કર્મની ૩૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ હોય છે. તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ વડે ભાગતાં ૩/૭ સાગરોપમ થાય તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યુન કરીએ તે વેદનીય કર્મના વર્ગની જઘન્ય સ્થિતિ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy