SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ કર્મગ્રંથ પમ ભાગ- - - - - - - - ઉત્તર મનુષ્યદ્ધિક-જિનનામ-પહેલું સંઘયણ તથા ઔદારિક અંગોપાંગ આ પાંચ પ્રકૃતિઓ સતત બંધાય તો ૩૩ સાગરોપમ સુધી બંધાયા કરે છે. કારણ કે કોઈ જીવ જિનના બાંધતો બાંધતો અનુત્તર વિમાનમાં ગયેલ હોય તો ત્યાં નિરંતર મનુષ્યગતિ બંધાતી હોવાથી ૩૩ સાગરોપમ ઘટી શકે છે. ૬૯૨. આયુષ્ય તથા જિનનામ કર્મનો સતત બંધ જઘન્યથી કેટલો હોય ? ઉત્તર ચાર આયુષ્ય તથા જિનનામકર્મ આ પાંચ પ્રકૃતિઓનો જઘન્ય સતત બંધકાળ એક અંતર મુહૂર્તનો હોય છે. ૬૯૩. પાંચ સિવાયની અધુવબંધીની શેષ પ્રકૃતિઓનો જઘન્ય સતત બંધકાળ કેટલો હોય? ઉત્તર પાંચ સિવાયની અધુવબંધીની શેષ ૬૮ પ્રકૃતિઓનો જઘન્યથી સતત બંધકાળ એક સમયનો હોય છે. બંધાતી પ્રકૃતિઓને વિષે અબંધકાળ તથા સતત બંધકાળ જણાવતું વર્ણન ૬૯૪. જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓને વિષે અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત. સતત બંધકાળ યુવબંધી હોવાથી દસ ગુણસ્થાનક સુધી હોય છે. ૬૯૫. દર્શનાવરણીય ૪ પ્રકૃતિઓને વિષે અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત. સતત બંધકાળ યુવબંધી હોવાથી ૧થી ૧૦ ગુણ. સુધી હોય છે. ૬૯૬. નિદ્રા તથા પ્રચલા આ બે પ્રકૃતિઓનો અબંધકાળ તથા | સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત. સતત બંધકાળ ધુવબંધી હોવાથી ૧થી આઠમા ગુણના પહેલા ભાગ સુધી હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy