SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ભાવાર્થ - પરાઘાત-ઉચ્છ્વાસ-પંચેન્દ્રિય જાતિ તથા વસચતુષ્ક આ ૭ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સતત બંધકાળ એકસો પંચ્યાસી સાગરોપમ હોય. શુભ વિહાયોગતિ, પુરુષવેદ, સુભગત્રિક, ઉચ્ચગોત્ર તથા સમચતુરસ્ત્ર સંસ્થાન આ સાત પ્રકૃતિઓનો સતત બંધ એકસો બત્રીસ સાગરોપમ હોય છે ।।૬૦॥ ૬૮૭.પરાધાતાદિ-૭ પ્રકૃતિઓનો સતત બંધકાળ કેટલો હોય ? શાથી ? ૧૭૨ ઉત્તરપરાધાત-ઉચ્છ્વાસપંચેન્દ્રિય જાતિ તથા ત્રસચતુષ્ક આ પ્રકૃતિઓનો સતત બંધ ૧૮૫ સાગરોપમ હોય છે. કારણ આ પ્રકૃતિઓની પ્રતિપક્ષી પ્રકૃતિઓ આટલા કાળ સુધી અબંધમાં હોય છે. છઠ્ઠી નારકીનાં ૨૨ સાગરોપમ, નવમા ત્રૈવેયકના ૩૧ સાગરોપમ તથા ત્રણ વાર અચ્યુતના ૬૬ સાગરોપમ તથા બે વાર અનુત્તરના ૬૬ સાગરોપમ અને વચમાં થતાં મનુષ્યભવો અધિક કરતાં ૧૮૫ સાગરોપમકાળ થાય છે. તેટલા કાળ સુધી પંચેન્દ્રિય જાતિનો બંધ કરતાં પર્યાપ્તાપણાનો બંધ સાથે થતાં પરાધાતાદિ પ્રકૃતિઓ બંધાયા કરે છે. ૬૮૮. શુભ વિહાયોગતિ આદિ સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ બંધકાળ (સતત) કેટલો હોય શાથી ? ઉત્તર શુભ વિહાયોગતિ-પુરુષવેદ-સુભગત્રિક-ઉચ્ચ ગોત્ર-પહેલું સંસ્થાન આ સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સતત બંધકાળ ૧૩૨ સાગરોપમ હોય છે. કારણ કે ત્રણ વાર અચ્યુતે જતાં વચમાં મનુષ્યભવો અધિક થાય તથા બે વાર વિજયાદીમાં જતાં મનુષ્યભવો અધિક થાય તો સમક્તિના કાળમાં પ્રતીપક્ષી પ્રકૃતિઓ બંધાતી ન હોવાથી સતત બંધાળ ઘટે છે. ૬૮૯. શુભ વિહાયોગતિ આદિ પ્રકૃતિઓનો ૧૮૫ સાગરોપમ બંધકાળ શા કારણથી નહીં ? ઉત્તર શુભ વિહાયોગતિ આદિ સાત પ્રકૃતિઓ પહેલા તથા બીજા ગુણસ્થાનકે જીવોને સતત બંધાતી નથી તેની પ્રતીપક્ષી પણ બંધાય છે. એટલે છઠ્ઠી નારકીમાં રહેલા મિથ્યાદ્રષ્ટિ જીવો તથા નવમા ત્રૈવેયકમાં રહેલા મિથ્યાદ્રષ્ટિ જીવો પ્રતીપક્ષી પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. તે કારણથી ૧૮૫ સાગરોપમ સતત બંધકાળ ઘટતો નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy