SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નિરૂવકમાણ છ માસા અબાહુ સેસાણ ભવતંસો ॥૩૪॥ ભાવાર્થ - એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિય જીવો આયુષ્ય પૂર્વ ક્રોડ વર્ષનું બાંધે છે. અસન્ની પંચેન્દ્રિય તિર્યંચો ચારેય પ્રકારનાં આયુષ્યમાંથી કોઇપણ આયુષ્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલું . બાંધે છે. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવોને વિષે અબાધાકાળ છ મહિનાનો હોય છે. જ્યારે બાકીના જીવોનો અબાધાકાળ પોતે આયુષ્યનો બંધ કરે ત્યારથી ગણાય છે. ૩૪॥ ૪૩. એકેન્દ્રિય જીવો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે ? કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર : એકેન્દ્રિય જીવો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ ક્રોડ વર્ષની બાંધી શકે છે. ૪૪, વિકલેન્દ્રિય જીવો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે ? ઉત્તર પૂર્વ ક્રોડ વર્ષની બાંધી શકે છે. ૪૫. અસની પંચેન્દ્રિય પર્યામા તિર્યંચો ચારેય આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે ? ઉત્તર : પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલી બાંધી શકે છે. ૪૬. પૂર્વક્રોડ વર્ષ એટલે કેટલાં વર્ષો થાય ? ઉત્તર : ચોરાશી લાખ વર્ષને ચોરાશી લાખ વડે ગુણતાં જે સંખ્યા આવે તે સંખ્યા એક પૂર્વ ગણાય છે. એવા ક્રોડ પૂર્વ વર્ષનું આયુષ્ય ગણાય છે. ૪૭. એકેન્દ્રિય-વિકલેન્દ્રિય જીવો આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પોતાના આયુષ્યનાં કેટલામાં ભાગે બાંધે ? ઉત્તર ત્રીજા ભાગે નિયમા બાંધે છે. ૪૮. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવો ક્યા ગણાય ? ઉત્તર દેવતા-નારકી અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચો આ જીવો નિયમા નિરૂપક્રમ આયુષ્યવાળા ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy