SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૬૪૨.અસન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિશે સ્થિતિસ્થાનો કોનાં કરતાં કેટલાં વધારે હોય ? ૧૬૦ ઉત્તર : અસની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિષે અસની પંચેન્દ્રિય અપર્યામા જીવો કરતાં સંખ્યાતગુણા અધિક સ્થિતિસ્થાનો હોય છે. ૬૪૩,સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોને વિષે સ્થિતિસ્થાનો કોનાં કરતાં કેટલાં વધારે હોય ? ઉત્તર સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોને વિષે અસની પંચેન્દ્રિય પર્યામા જીવોનાં સ્થિતિસ્થાનો કરતાં સંખ્યાતગુણા અધિક હોય છે. ૬૪૪,સન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિષે સ્થિતિસ્થાનો કોનાં કરતાં કેટલા વધારે હોય ? ઉત્તર : સન્ની પંચેન્દ્રિય પર્યામા જીવોને વિષે સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવો કરતાં સંખ્યાતગુણા અધિક સ્થિતિસ્થાનો હોય છે. પઈખણમ સંખ ગુણ વિરિઅ અપજપઈ હિઈમ સંખ લોગ સમા । અજઝ-૧-સાયા અહિઆ સત્તસુ આઉસુ અસંખગુણા ।।૫૫ ભાવાર્થ - અપર્યામા જીવો પ્રત્યેક સમયે અસંખ્યાતગુણા વીર્યવાળા હોય. અને પ્રત્યેક સ્થિતિબંધે અસંખ્યેય લોકાકાશના પ્રદેશ પ્રમાણે અધ્યવસાયો હોય. સાત કર્મને વિષે પ્રતિસમય સ્થિતિબંધના અધ્યવસાયો વિશેષાધિક અને આયુષ્યકર્મને વિષે પ્રતિસમય અસંખ્યાતગુણા સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. ૫૫ ૬૪૫.અપર્યાપ્તા જીવોને વિષે યોગની વૃદ્ધિ કયા પ્રકારે હોય ? ઉત્તર : અપર્યામા જીવોને વિષે અસંખ્યાતગુણા અધિક રીતે યોગની વૃદ્ધિ હોય છે. ૬૪૬.અપર્યાપ્તા જીવોને અસંખ્યાતગુણ વૃદ્ધિરૂપ યોગ કઈ રીતે ક્યાં સુધી જાણવો ? ઉત્તર : અપર્યામા જીવોને વિષે યોગની વૃદ્ધિ આ પ્રમાણે જાણવી. ઉત્પત્તિના પ્રથમ સમયે જે યોગ છે તેનાથી બીજા સમયે અસંખ્યાતગુણા અધિક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy