SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૫૬૧. ચરિન્દ્રિય અપર્યાપ્તાનો જધન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરતાં વિશેષ હોય ? ઉત્તર : ચરિન્દ્રિય અપર્યાપ્તાનો જધન્ય સ્થિતિબંધ ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવોનાં જધન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૧૪૭ ૫૬૨. ચઉરિન્દ્રિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા જીવો કરતાં વિશેષ હોય ? ઉત્તર ચરિન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચઉરિન્દ્રિય અપર્યાપ્તા જીવોનાં જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૬૩. ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કરતાં વિશેષ હોય ? ઉત્તર ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચઉરિન્દ્રિય અપર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વિશેષાધીક હોય છે. ૫૬૪.અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો જધન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો જધન્ય સ્થિતિબંધ ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાત ગુણો હોય છે. ૫૬૫.અસની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો સ્થિતિબંધ ક્યા જીવો કરતાં વિશેષ હોય ? ધન્ય ઉત્તર અસની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનાં જધન્ય સ્થિતિબંધ કરતા વિશેષાધિક હોય છે. ૫૬૬. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તાનો ધન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો શાથી ? ઉત્તર અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ હજારગુણો અધિક હોય છે જ્યારે ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સો ગુણો હોય છે. તેમાં સો કરતાં હજાર દશ ગુણા થાય તે કારણથી સંખ્યાતગુણો ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy