SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૯. વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ તથા જઘન્યથી અબાધાકાળ કેટલો હોય ? ૪ ઉત્તર વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો અને જધન્ય અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય છે. ૨૦. મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ તથા જધન્યથી અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ સાત હજાર વર્ષનો અને જઘન્ય અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય છે. ૨૧. નામકર્મ અને ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ તથા જધન્યથી અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર નામકર્મ તથા ગોત્રકર્મનો ઉત્કૃષ્ટથી અબાધાકાળ બે હજાર વર્ષનો હોય છે. જઘન્યથી અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય. ૨૨. આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટથી તથા જઘન્યથી અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર : આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટથી અબાધાકાળ પૂર્વના આયુષ્ય કર્મનો ત્રીજો ભાગ જાણવો. અને જઘન્યથી અબાધાકાળ પૂર્વના આયુષ્ય કર્મનાં ઉદયકાળનો અંતરમુહૂર્ત જાણવો. ૨૩. જ્ઞાનાવરણીયાદિ કર્મનો ત્રણ હજાર વર્ષ અબાધાકાળ એટલે શું ? ઉત્તર : જ્ઞાનાવરણીય કર્મ જે નવું બંધાયેલું છે તે ત્રીશ કોટાકોટી સાગરોપમનું બાંધેલ હોય તો તેના બંધાયેલા દલીકો ત્રણ હજાર વર્ષ સુધીના સ્થિતિકાળમાં વિપાકથી ઉદયમાં ન આવે. ત્રણ હજાર વર્ષ પછી વિપાકરૂપે ઉદયમાં આવે એવું બનાવે તે તે કર્મનો અબાધાકાળ ગણાય છે. ૨૪. કર્મનો નિષેક રચનાકાળ કોને કહેવાય ? ઉત્તર જે કર્મો જેટલા કાળ સુધીનાં બંધાયેલા હોય તે કર્મોની સ્થિતિમાંથી અબાધાકાળનાં સમયો બાદ કરી બાકીનાં સમયથી ઉદયમાં આવવા રૂપ કર્મોનાં દલીકોની જે ગોઠવણ કરાય તે કર્મોની નિષેક રચના હેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy