SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ છે તથા જાતિ ભવ્ય અને આશ્રયને અનાદી અનંત કાળ સુધી હોય છે. પ્રશ્ન ૬૬ : દર્શનાવરણીય કર્મને નવ પ્રકૃતિને બંધ સાદી મિથ્યાત્વી ભવ્ય જીવોને આશ્રયીને કેટલે કાળ હોય? ઉત્તર : દર્શનાવરણીય કર્મને નવ પ્રકૃતિને અવસ્થિત બંધ સાદી મિથ્યાત્વી ભવ્ય છેને આશ્રયીને જઘન્યથી એક અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ હોય છે. પ્રશ્ન ૬૭ : દર્શનાવરણીય કર્મને બીજે અવસ્થિત બંધ કઈરીતે જાણ? ઉત્તર : દર્શનાવરણીય કર્મને બીજો અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ : જ્યારે કોઈ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકેથી મિશ્ર ગુણસ્થાનકને તથા ચેથા ગુણસ્થાનકને પામે તેના બીજા સમયથી સતત દર્શનાવરણીય કર્મની છ પ્રકૃતિને બંધ કરે છે તે બીજે અવસ્થિત બંધ કહેવાય છે. પ્રશ્ન ૬૮ : દર્શનાવરણીય કર્મની છ પ્રકૃતિને અવસ્થિત બંધન જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કેટલો હેય? ઉત્તર : દર્શનાવરણીય કર્મની છ પ્રકૃતિને અવસ્થિત બંધ જઘન્યથી એક અંતર્મુહૂર્ત હોય અને ઉત્કૃષ્ટથી ૧૩૨ સાગરગમ તથા વચમાં મનુષ્યભવે જે થાય તે અધિક સાથેને કાળ જાણો. પ્રશ્ન ૬૯. દશનાવરણીય કર્મને ત્રીજો અવસ્થિત બંધ કઈ રીતે જાણી શકાય? ઉત્તર : દર્શનાવરણીય કર્મને ત્રીજો અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ. કેઈ સમકિતી જીવ વિશુદ્ધ પરિણામથી ચારિત્ર પ્રાપ્ત કરી ઉપશમશ્રેણું અથવા ક્ષપકશ્રેણે પ્રાપ્ત કરી આઠમાં ગુણસ્થાનકના બીજા ભાગે દર્શનાવરણીય કર્મની ચાર પ્રકૃતિને બંધ કરે તેના બીજા સમયથી સતત બંધ ચાર પ્રકૃતિને ચાલુ હોય છે તેથી તે ત્રીજે અવસ્થિત બંધ કહેવાય છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy