SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ કર્મગ્રંથ-પ ઉત્તર : નરકગતિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મના ભૂયસ્કારાદિ બંધસ્થાને આ પ્રમાણે હોય છે : જ્ઞાનાવરણીય કર્મ-૧ અવસ્થિત બંધ. દર્શનાવરણીય કર્મનાક હોય છે. ૧-૨ નવ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર–અવસ્થિત બંધ. ૩-૪ છ પ્રકૃતિનાં બંધના અલ્પતર બંધ-અવસ્થિત બંધ. વેદનીય કર્મન–૧ અવસ્થિત બંધ. આયુષ્ય કર્મના–૨ અવક્તવ્ય બંધ, અવસ્થિત બંધ. ગેત્ર કમને-૧ અવસ્થિત બંધ. અંતરાય કમને-૧ અવસ્થિત બંધ. કુલ દશ બંધસ્થાને થયા. પ્રશ્ન પ૧૮. નરકગતિમાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં હોય છે? કયા? ઉત્તર : નરકગતિમાં મેહનીય કર્મનાં બંધસ્થાને ત્રણ હોય છે. બાવીશ, એકવીશ સત્તર પ્રકૃતિનું ભૂયસ્કારાદિ બંધસ્થાને છ થાય છે. (૧) બાવીશના બંધને ભૂયસ્કાર બંધ, (૨) બાવીશના બંધને અવસ્થિત બંધ, (૩) એકવીશના બંધને ભૂયસ્કાર બંધ, (૪) એકવિશના બંધને અવસ્થિત બંધ, (૫) સત્તરના બંધને અલ્પતર બંધ, (૬) સત્તરના બંધને અવસ્થિત બંધ. પ્રશ્ન પ૧૯. નરકગતિમાં નામકર્મના બંધસ્થાનો તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે ? ક્યા? ઉત્તર : નરકગતિમાં નામકર્મના બંધસ્થાને બે હોય છે. (૧) ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન: પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય પ્રાગ્ય. ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાનઃ પર્યાપ્ત મનુષ્ય, પ્રાગ્ય. (૨) ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન : પર્યાપ્તા તિર્યંચ, પ્રાગ્ય. વીશ પ્રકૃતિનું બંધસ્થાનઃ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy