SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪૬૮. લબ્ધિ અપર્યાપ્ત કોને કહેવાય ? ઉ. : જે જીવો અપર્યાપ્તાવસ્થામાં જ રહ્યાં છતાં મરણ પામે છે. પોતાને યોગ્ય પર્યાપ્તિઓ જે પૂર્ણ કરતા જ નથી તે લબ્ધિ અપર્યાપ્તા કહેવાય છે. પ્ર. ૪૬૯. કરણ અપર્યાપ્તા કોને કહેવાય ? ઉ. : જે જીવોને વર્તમાનમાં પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી પણ અવશ્ય પૂર્ણ કરશે જ તે કરણ અપર્યાપ્તા કહેવાય છે. પ્ર. ૪૭૦. સાધારણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી અનંતા જીવો વચ્ચે (સાથે) એક શરીર પ્રાપ્ત થાય તે સાધારણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૭૧. અસ્થિર નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવને કાન, જિહ્વા (જીભ), ભ્રકુટિ વગેરે અવયવો અસ્થિર મળે તે અસ્થિર નામકર્મ કહેવાય છે. આ અર્થ સામાન્યથી છે. પ્ર. ૪૭૨. અશુભ નામકર્મ કોને કહેવાય ? ઉ. : નાભિની નીચેના અવયવો જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે અશુભ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૭૩. દુર્ભાગ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી ઉપકાર કરનાર મનુષ્ય હોવા છતાં પણ માનવોને જે અપ્રિય થાય તે દુર્ભગ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૭૪. દુઃસ્વર નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી જીવોને સ્વર ખર જેવો પ્રાપ્ત થાય તે દુઃસ્વર નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૭૫. અનાદેય નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવનું વચન લોકોને ગ્રાહ્ય ન થાય તે અનાદેય નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૭૬. અયશ નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી જીવોની યશ કીર્તિ ન થાય પણ સારુ ક૨વા છતાં અયશ પ્રાપ્ત થાય તે અયશ નામકર્મ કહેવાય છે. ગોઅં દુહુચ્ચનીઅં, કુલાલ ઇવ સુધડભુંભલાઈઅં । વિગ્ધ દાણે લાભે, ભોગુવભોગેસ વિરિએ અ ॥ ૫૧ ॥ ભાવાર્થ : ગોત્રકર્મ કુંભારની જેમ બે પ્રકારનું કહેલું છે. જેમ કુંભાર સારા ઘડા તથા ખરાબ ઘડા બનાવે છે. તેમ ગોત્રકર્મ નીચગોત્ર અને ઉચ્ચગોત્ર એમ બે પ્રકારે છે. અંતરાય Jain Education International ૭૫ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy