SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.૪૬૦. સુભગ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી અનુપકારી હોવા છતાં પણ જીવોને જે પ્રિય થાય તે સુભગ નામકર્મ કહેવાય છે. જીવના શરીરને જરા પણ જોવું ગમે તેવું ન હોય છતાં પણ જોવાનું અને બોલાવવાનું મન થાય તે સુભગ નામકર્મનો ઉદય જાણવો. સુસરા મહુરસુઝુણી, આઈજ્જા સવ્વલોય- ગિઝવઓ | જસઓ જસ કિરીઓ, થાવર દસગે વિવજ્જલ્થ છે ૫૦ છે. ભાવાર્થ : સુસ્વર નામકર્મના ઉદયથી જીવને મધુર સ્વર મળે. સર્વજનને ગ્રાહ્ય વચનવાળો જીવ આદેય નામકર્મથી થાય તથા યશ કીર્તિ જગતમાં વ્યાપે તે યશ નામકર્મથી થાય છે. સ્થાવર દશક ત્રસ દશકથી વિપરીત રીતે જાણવું. પ્ર. ૪૬૧. સુસ્વર નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવને જે સ્વર પ્રાપ્ત થાય તે શ્રવણ કરવામાં પ્રીતિરૂપ થાય તે સુસ્વર નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૬૨. આદેય નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવનું વચન સર્વને ગ્રહણ કરવા યોગ્ય બને તે આદેય નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૬૩. યશ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી સામાન્યથી તપ ત્યાગ વડે કરીને જે શ્લાઘા પ્રશંસા વગેરે થાય તે યશ નામકર્મ કહેવાય છે. અર્થાત્ જે કર્મના ઉદયથી જીવનો યશ જગતમાં ફેલાય તે યશ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૬૪. સ્થાવર નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવ સુખ મેળવવા માટે અને દુઃખ ત્યાગ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ન શકે તે સ્થાવર નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૬૫. સૂક્ષ્મ નામકર્મ કોને કહેવાય? ઉ. જે કર્મના ઉદયથી જીવ સૂક્ષ્મપણાને પ્રાપ્ત કરે એટલે કે અસંખ્યાતા અથવા અનંતા ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી દેખી ન શકાય તે સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા કહેવાય છે, પ્ર. ૪૬૬. અપર્યાપ્ત નામકર્મવાળા કોને કહેવાય ? ઉં. જે કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય પયપ્તિ પૂર્ણ કર્યા વગરના રહે તે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા કહેવાય છે. પ્ર. ૪૬૭. અપર્યાપ્ત કેટલા પ્રકારે છે ? ક્યા ક્યા ? ઉ. : બે. (૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્ત. ૭૪ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy