SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વિકલત્રિક = બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિ. ઔદારીકક્રિક ઔદારીક શરીર, ઔદારીક અંગોપાંગ. વૈક્રીયદ્વિક - વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ. આહારદ્વિક = આહારક શરીર, આહારક અંગોપાંગ. અગુરૂલઘુચતુષ્ક અગુરૂલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ. વૈક્રીયઅષ્ટક ઃ દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય નરકગતિ, નરકાનુપૂર્વી નરકાયુષ્ય, વૈક્રીય શરીર તથા વૈક્રીય અંગોપાંગ. આ રીતે મનુષ્યદ્ઘિક, મનુષ્યત્રિક, તિર્યંચદ્ધિક, તિર્યંચત્રિક, દેવદ્વિક, દેવત્રિક વગેરે નરકદ્વિક વગેરેની જેમ જાણવી. – પ્ર. ૪૨૫. આનુપૂર્વીનો ઉદય ઋજુગતિમાં થાય છે કે વક્રગતિમાં થાય ? ઉ. : જીવ જે ગતિમાં જતો હોય છે તે ગતિમાં જવામાં એક સમયમથી જે જાય છે તે ઋજુગતિવાળા કહેવાય છે. જ્યારે બે સમયમાં, ત્રણ સમયમાં, ચાર સમયમાં તથા પાંચ સમયમાં જીવો ઉત્પન્ન થતાં હોય છે ત્યારે એક સમયે તે ઋજુ જાય પણ બીજા સમયે વક્ર તરીકે થાય છે. તેમાં આ આનુપૂર્વીનો ઉદય હોય છે. તે કારણથી જીવને વક્ર જતાં આનુપૂર્વીનો ઉદય હોય છે. ઋજુ જતાં નહિ. પ્ર. ૪૨૬. વિહાયોગતિ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ. : આકાશને વિષે જે ગતિ તે વિહાયોગતિ કહેવાય છે તે બે પ્રકારની છે (૧) શુભ વિહાયોગતિ (૨) અશુભવિહાયોગતિ પ્ર. ૪૨૭. શુભ વિહાયોગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી જીવોની ચાલ વૃષભ જેવી, હાથી જેવી હોય તે શુભ વિહાયોગતિ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૨૮. અશુભ વિહાયોગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવોની ચાલ ઊંટ તથા ખર (ગધેડો) વગેરે જેવી હોય છે તે અશુભ વિહાયોગતિ નામકર્મ કહેવાય છે. પરઘા-ઉદયા પાણી, પસિં બલિષ્ણપિ હોઇ દુદ્ઘરિસો । ઊસસણ-લદ્ધિજુત્તો, હવેઇ ઊસાસનામ-વસા ॥ ૪૩ || ભાવાર્થ : સામે બળવાન હોય તેને પણ પરાઘાત નામકર્મના ઉદયથી ક્ષોભ પમાડે તથા ઉચ્છવાસ નામકર્મના ઉદયથી જીવને ઉચ્છવાસ લેવાની લબ્ધિ થાય છે. પ્ર. ૪૨૯. પરાઘાત નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી સામો માણસ મહા બળવાન હોય, તેજસ્વી હોય, છતાં પોતે ક્ષોભ ન પામે તે ૫રાઘાત નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૩૦, ઉચ્છવાસ નામકર્મ કોને કહેવાય ? Jain Education International ૬૮ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy