SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૦. લઘુસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર રૂની જેમ હલકું થાય તે લઘુસ્પર્શ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૧. મૃદુસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ કોમળ હોય છે તે મૃદુસ્પર્શ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૨, કર્કકશસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ ખરબચડો હોય છે તે કર્કશસ્પર્શી નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૩, શીતસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ ઠંડો હોય કમલના નાડલાની જેમ તે શીતસ્પર્શ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૪, ઉષ્ણસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ ગરમ હોય છે તે ઉષ્ણ સ્પર્શ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૫. સ્નિગ્ધસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ ચીકણો હોય તે સ્નિગ્ધ સ્પર્શ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૬. રૂક્ષસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ લુખો (રૂક્ષ) હોય તે રૂક્ષસ્પર્શ નામકર્મ કહેવાય છે. નીલ-કસિણું દુર્ગંધ, તિત્તું કડુઅં ગુરું ખર રુક્ષ્મ | સીએં ચ અસુહનવર્ગ ઇક્કારસગં સુભં સેસ... ॥ ૪૧ | ભાવાર્થ : નીલ-કૃષ્ણ વ-દુર્ગંધ, તિક્ત-કટુરસ, ગુરૂ -કર્કશ -રૂક્ષ તથા શીત વર્ણાદિ ૯ અશુભ કહેવાય છે. જ્યારે બાકીના ૧૧ વર્ણાદિ શુભ કહેવાય છે. પ્ર. ૪૧૭. વર્ણાદિ ૨૦માં અશુભ વર્ષાદ કેટલા હોય છે ? કયા કયા છે ? ઉ. : નવ. (૧) કૃષ્ણ વર્ણ (૨) નીલ વર્ણ (૩) દુર્ગંધ (૪) તિક્તરસ (૫) કટુરસ (૬) ભારે સ્પર્શ (૭) ખરબચડો સ્પર્શ (૮) શીત સ્પર્શ (૯) રૂક્ષ સ્પર્શ. પ્ર. ૪૧૮. વર્ણાદિ વીશમાં શુભ વર્ષાદ કેટલા હોય છે ? કયા કયા ? Jain Education International ૬૬ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy