SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨૦૦. કેવલજ્ઞાન કેટલા પ્રકારે હોય છે ? ઉ, કેવલજ્ઞાન એક જ પ્રકારે હોય છે. કારણ કે જે ઉત્પન્ન થાય ત્યારથી પ્રથમથી જ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવોને ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણેને એક જ સમયે સારી રીતે જાણી શકે છે અને જોઈ શકે છે. એસિ જે આવરણ, પડવ્ય ચકખુલ્સ તું તયાવરણ ! દંસણ ચલે પણ નિદા, વિત્તિસમ દંસણાવરણ | ૯ ||. ભાવાર્થ : એ પાંચ જ્ઞાનનું આવરણ એટલે આચ્છાદન ચક્ષુએ બાંધેલ પટલ (પાટા)ની જેમ હોય છે. (જાણવું) દર્શનાવરણીય કર્મ ચાર દર્શન અને પાંચ નિદ્રારૂપ નવ પ્રકારે છે અને જેનું આવરણ દ્વારપાલની જેમ કહેલું છે. પ્ર. ૨૦૧. એ પાંચ જ્ઞાનનું આવરણ કોના જેવું હોય છે ? ઉ.: એ પાંચ જ્ઞાનનું આવરણ આંખે પાટા બાંધીએ છીએ તેના જેવું જણાવેલ છે. જેમ આંખે ઝીણું કપડું બાંધવામાં આવે તો સારું દેખાય તેનાથી જાડું કપડું બાંધવામાં આવે તો ઓછું દેખાય તેનાથી વિશેષ જાડું બાંધવામાં આવે તો વધારે ઓછું દેખાય તેમ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ગાઢ હોય તો ક્ષયોપશમભાવ ઓછો હોય અને જેમ જ્ઞાનાવરણીય કર્મનો મંદ ઉદયભાવ હોય તો ક્ષયોપશમભાવ વિશેષ હોઈ શકે છે. તેનાથી જ્ઞાનાવરણીય કમને ચક્ષુના પાટાની ઉપમા જણાવેલી છે. પ્ર. ૨૦૨. જ્ઞાનાવરણીય કર્મના ભેદ કેટલા ? કયા કયા ? ઉ. : પાંચ. (૧) મતિ જ્ઞાનાવરણીય કર્મ (૨) શ્રત જ્ઞાનાવરણીય કર્મ (૩) અવધિ જ્ઞાનાવરણીય કર્મ (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ અને (૫) કેવલ જ્ઞાનાવરણીય કર્મ. પ્ર. ૨૦૩. દર્શનાવરણીય કર્મ કેટલા પ્રકારે છે ? કયા કયા? ઉ. નવે. (૧) ચક્ષુ દર્શનાવરણીય કર્મ (૨) અચક્ષુ દર્શનાવરણીય કર્મ (૩) અવધિ દર્શનાવરણીય કર્મ (૪) કેવલ દર્શનાવરણીય કર્મ (૫) નિદ્રા (૬) નિદ્રા નિદ્રા (૭) પ્રચલા પ્રચલા અને (૯) થીણદ્વી. પ્ર. ૨૦૪. દર્શનાવરણીય કર્મ કોના જેવું છે? ઉ.:દર્શનાવરણીય કર્મ દ્વારપાલ (પહેરગીર) જેવું હોય છે. જેમ કોઈ માણસને રાજાના દર્શન કરવા હોય અને પહેરગીર (પોળીયો) જવા ન દે તો રાજાના દર્શન થતાં નથી તેમ આંખ વગેરે બધું સારામાં સારું હોવા છતાં દર્શનાવરણીય કર્મ (તેનો ગાઢ ઉદય ચાલતા હોય) તેને દેખવા વગેરેમાં અંતરાય કરનારું હોય છે, (થાય છે.) ચખૂદિઠિ-અચમ્મુ-સેસિંદિઅ-ઓફિકેવલેહિં ચ દંસણમિહ સામન્ન, તસ્યાવરણે તયં ચઉહા | ૧૦ | . ૨૯ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy