SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૮૮. આ અવધિજ્ઞાન દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ કેટલા ભેદવાળું હોય છે. ઉં. : આ અવધિજ્ઞાન દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ અનંતા ભેદવાળું હોય છે. કારણ કે અનંતા દ્રવ્યોનો વિષય કરનારું હોવાથી કહેવાય છે. પ્ર. ૧૮૯. અવધિજ્ઞાન કાલ અને ક્ષેત્રની અપેક્ષાએ કેટલા ભેદવાળું ગણાય છે ? ઉ. આ અવધિજ્ઞાન ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ અસંખ્યાતા ભેદવાળું ગણાય છે. કારણ કે અસંખ્યાતા ક્ષેત્રનો વિષય કરતું હોવાથી ભેદ પડે છે. પ્ર. ૧૯૦. અવધિજ્ઞાન વિકલ્પથી કેટલા પ્રકારે હોય છે ? ઉ. : ચાર. (૧) દ્રવ્ય થકી (૨) ક્ષેત્ર થકી (૩) કાલ થકી (૪) ભાવ થકી. પ્ર. ૧૯૧. અવધિજ્ઞાની દ્રવ્ય- ક્ષેત્ર-કાલ ભાવાદિથી શું શું જાણી શકે છે ? જોઈ શકે છે ? ઉં. : અવધિજ્ઞાની દ્રવ્યની અપેક્ષાએ જધન્યથી અનંતા રૂપી જ્યો જુએ છે, અને જાણે છે. ઉત્કૃષ્ટથી સર્વરૂપી દ્રવ્યોને જાણે છે, અને જોઈ શકે છે. ક્ષેત્રથી અવધિજ્ઞાની જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અલોકમાં લોકપ્રમાણ અસંખ્યાતા ખાંડવા (ટુકડાઓ)ને જુએ છે, અને જાણી શકે છે. કાલથકી અધિજ્ઞાની જધન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી, અતીત (ભૂતકાલ) તથા અનાગત (ભવિષ્ય) કાળને જુએ છે, અને જાણી શકે છે. ભાવથકી અવધિજ્ઞાની જધન્યથી અનંતા ભાવોને જાણે છે, તથા જુએ છે . અને ઉત્કૃષ્ટથી પણ અનંતા ભાવોને જુએ છે, અને જાણી શકે છે. સર્વ ભાવોનાં અનંતમા ભાગના ભાવોને જુએ છે અને જાણી શકે છે. હવે મનઃપર્યવજ્ઞાનનું વર્ણન કરાય છે. પ્ર. ૧૯૨. મનઃપર્યવજ્ઞાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ. બે. (૧) ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન (૨) વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન. પ્ર. ૧૯૩. ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન કોને કહેવાય ? ઉ. : સામાન્ય બોધ કરાવે એટલે કે આ જીવે ઘડો ચિંતવેલો છે એવા મનના પુદ્ગલોને સામાન્યથી જાણે અને જોઈ શકે તે ૠજુમતિ મનઃપર્યવજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૯૪. વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન કોને કહેવાય ? ઉ. : વિપુલ = વિશેષ ગ્રાહિણી જે મતિ તે વિપુલમતિ કહેવાય છે. આ જીવે ઘટ ચિંતવેલો છે. તે પાટલીપુત્રનો છે. સોનાનો છે ? માર્ટીનો છે ? ઈત્યાદિ વિશેષ ગ્રહણ જે કરી શકે તે પુદ્ગલોને જોઈ શકે તે વિપુલમતિ મનઃ પર્યવજ્ઞાન કહેવાય છે. Jain Education International ૨૭ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy